દ્રવ્યને ગરમ કરવાથી કે ઠારણથી થતી અવસ્થા-ફેરફારની પ્રવૃત્તિ સમજાવો.
$0^{\circ}\,C$ તાપમાનવાળા બરફના કેટલાક ટુકડાઓ બીકરમાં લો.
ઉષ્મા પ્રાપ્તિસ્થાન અચળ રાખી બરફના ટુકડાવાળા બીકરને ધીમે ધીમે ગરમ કરો અને પાણી તથા બરફના મિશ્રણ હલાવતાં રહો તથા દરેક મિનિટે તાપમાન નોંધો.
તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ નીચે મુજબ મળશે.
આલેખમાં જોઈ શકાય છે કે જ્યાં સુધી બીકરમાં બરફ હોય ત્યાં સુધી તાપમાનમાં ફેરફાર થતો નથી.
બરફને સતત ઉષ્મા આપવા છતાં તેના તાપમાનમાં કોઈ જ ફેરફાર થતો નથી.
અહી, આપેલ ઉષ્મા ધન (બરફ) અવસ્થામાંથી પ્રવાહી (પાણી) અવસ્થામાં રૂપાંતરણમાં વપરાય છે.
ભારતમાં ઉનાળાના સમયમાં એક સામાન્ય પદ્ધતિ ઠંડક રાખવા માટે એવી હોય છે, કે જેમાં બરફના બોલ બનાવી તેને ચાસણીમાં ડુબાડીને ચૂસવામાં આવે. આના માટે એક સળી છીણેલા બરફમાં નાંખવામાં આવે કે જેથી તે બરફના બોલને સળીથી પકડી શકાય. એવી જ રીતે, શિયાળામાં એવા વિસ્તારમાં કે જ્યાં બરફવર્ષા થાય ત્યાં સ્નો બોલ બનાવીને એકબીજા પર ફેંકતા હોય છે. છીણેલા બરફમાં અને સ્નોમાંથી બોલની બનાવટ પાણીના $p\to T$ આલેખની મદદથી સમજાવો.
$2.5\, kg$ દળના તાંબાના એક બ્લૉકને ભઠ્ઠીમાં $500 \,^oC$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને મોટા બરફના બ્લૉક ઉપર મૂકવામાં આવે છે. કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે ? (તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 0.39 \,J\,g\,^{-1}\, K^{-1}$, પાણી માટે ગલન ગુપ્ત ઉષ્મા $= 335\, J \,g^{-1})$
$CO_2$ ,ના $P -T$ ફ્રેઝ ડાયગ્રામને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :
$(a)$ $1$ વાતાવરણ દબાણે અને $-60 \,^oC$ તાપમાને $CO_2$,નું સમતાપી સંકોચન કરવામાં આવે છે. શું તે પ્રવાહી અવસ્થામાં જશે ?
$(b)$ $CO_2$ ,નું દબાણ $4$ વાતાવરણ જેટલું અચળ રાખીને તેનું ઓરડાનાં તાપમાન સુધી ઠારણ કરાવવામાં આવે તો શું થાય ?
$(c)$ $10$ વાતાવરણ દબાણે અને $-65 \,^oC$ તાપમાને આપેલ જથ્થાનાં ઘન $CO_2$,નું દબાણ અચળ રાખી ઓરડાના તાપમાને તેને ગરમ કરતાં થતાં ગુણાત્મક ફેરફારોનું વર્ણન કરો.
$(d)$ $CO_2,$ ને $70 \,^oC$ સુધી ગરમ કરી સમતાપી સંકોચન કરવામાં આવે છે. અવલોકન માટે તમે તેનાં ક્યા ગુણધર્મોમાં ફેરફારની અપેક્ષા રાખશો ?
વિધાન : ઘનને ઓગાળતા તેની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી
કારણ : ગુપ્ત ઉષ્મા એ એકમ દળના ઘનને ઓગાળવા માટે આપવી પડતી ઉષ્મા છે