- Home
- Standard 9
- Science
નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણ દર્શાવો :
$(a)$ નેપ્થેલિનની ગોળી (ડામરની ગોળી) સમય જતાં કોઈ પણ ઘન અવશેષ (Residue) છોડ્યા વિના જ અદ્શ્ય થઈ જાય છે.
$(b)$ આપણને અત્તરની સુગંધ (સુવાસ) ઘણા લાંબા અંતર સુધી આવે છે.
Solution
$(a)$ નેપ્થેલિનની ગોળી અથવા ડામરની ગોળી એ ઊર્ધ્વપાતી પદાર્થ છે. આથી તે વાતાવરણમાંથી ઉષ્મા મેળવીને ઘનમાંથી સીધે સીધી જ વાયુમાં ફેરવાઈ જાય છે અને હવામાં ભળી જાય છે. આ પ્રકારની ઘટનાને ઊર્ધ્વપાતન (sublimation) કહેવામાં આવે છે. આથી જ નેપ્થેલિનની ગોળીએ સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે.
$(b)$ આપણને અત્તરની સુગંધ અથવા સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે કારણ કે અત્તર બાષ્પશીલ ઘટકો ધરાવે છે. બાષ્પશીલ ઘટકો વાયુમય કણો હોવાથી તેમની વચ્ચે ખૂબ જ વધુ અવકાશ હોવાથી તે ખૂબ જ ઝડપી ગતિ પણ ધરાવી શકે છે આથી તેનું પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. પરિણામે તેની સુગંધ લાંબા અંતર સુધી આવે છે.