વાતાવરણમાં આવેલા જુદા જુદા આવરણની માહિતી આપો અને તેમાં રહેલા ઘટકોની સમજૂતી આપો.
પૃથ્વીની આસપાસ રહેલા વાતાવરણના સ્તરની જાડાઈ બધી ઊંચાઈએ સમાન હોતી નથી. એટલે કે, હવાના જુદા જુદા સંકેન્દ્રિ સ્તર જોવા મળે છે. આ દરેક સ્તર જુદી જુદી ઘનતા ધરાવે છે.
વાતાવરણનો નીચેનો વિસ્તાર જ્યાં માનવ સહિતની સમગ્ર જીવસૃષ્ટિ વસે છે. તેને ક્ષોભ-આવરણ $(Troposphere)$ કહે છે. તે દરિયાની સપાટીથી લગભગ $10\,km$ ની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.
ક્ષોભ-આવરણમાં ધૂળના રજકણો, વધુ પ્રમાણમાં પાણીની બાષ્પ અને વાદળો આવેલા હોય છે. આ ક્ષેત્રમાં હવાના પ્રબળ પ્રવાહ અને વાદળોનું નિર્માણ થાય છે.
દરિયાની સપાટીથી $10\,km$ થી $50\,km$ની વચ્ચેના વિસ્તારને સમતાપ આવરણ $(Stratosphere)$ કહે છે. સમતાપ આવરણમાં ડાયનાઇટ્રોજન, ડાયઑક્સિજન, ઓઝોન અને થોડા પ્રમાણમાં પાણીની બાષ્પ હોય છે.
સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોનાં $99.5\%$ ભાગને સમતાપ આવરણમાં રહેલો ઓઝોન પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે અને તેની અસરોથી માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરે છે.
ખાલી જગ્યા પૂરો :
$(1)$ શિયાળામાં એન્ટાર્કટિકા ખંડ પર વિશિષ્ટ વાદળ રચાય છે. જેને .............. કહે છે.
$(2)$ પ્રદૂષણના જ્ઞાત સ્રોતને ... કહે છે.
$(3)$ પ્રદૂષણના અજ્ઞાત સ્રોતને ... કહે છે.
$(4)$ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા ......... અને હવામાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા ............ છે.
હાઇડ્રોકાર્બન વડે થતું ક્ષોભ-આવરણનું પ્રદૂષણ ટૂંકમાં સમજાવો.
ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ?
એસિડ વર્ષાથી થતી બે આડઅસરો જણાવો.
વાયુમય હવા પ્રદૂષકોમાં શેનો શેનો સમાવેશ થાય છે ?