નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન - $I$ : $\mu$ જથ્થાનો એક આદર્શ વાયુ જ્યારે સમોષ્મી પ્રક્રિયા દ્વારા $\left( P _{1}, V _{1}, T _{1}\right)$ અવસ્થામાંથી $\left( P _{2}, V _{2}, T _{2}\right)$ અવસ્થામાં જાય છે ત્યારે થતું કાર્ય $W =\frac{\mu R \left( T _{2}- T _{1}\right)}{1-\gamma}$, જ્યાં $\gamma=\frac{ C _{ p }}{ C _{ v }}$ અને $R =$ સાર્વત્રિક વાયુ અચળાંક છે.

વિધાન - $II$ : ઉપરોક્ત કિસ્સામાં, જ્યારે વાયુ ઉપર કાર્ય થાય છે, વાયુનું તાપમાન વધે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2022]
  • A

    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે

  • B

    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે

  • C

    વિધાન $I$ સાચું પણ વિધાન $II$  ખોંટું છે

  • D

    વિધાન $I$ ખોંટું છે પણ વિધાન $II$ સાચું છે

Similar Questions

$NTP$ એ રહેલા વાયુનું સંકોચન કરી કદ ચોથા ભાગનું કરવામાં આવે છે.જો $ \gamma $ = $ \frac{3}{2} $ હોય,તો અંતિમ દબાણ .......   વાતાવરણ થશે?

એક દૃઢ દ્રિપરમાણ્વીક આદર્શ વાયુ પૂરતા ઊંચા તાપમાને એક સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા માટે તાપમાન અને કદનો સબંધ $TV^x =$ અચળ છે, તો $x$ કેટલો હશે? 

  • [JEE MAIN 2019]

સમોષ્મી પ્રક્રિયામાં શું અચળ રહે છે ? તાપમાન કે ઉષ્મા ? 

આકૃતિમાં એક મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ નમૂના ઉપર ચક્રીય પ્રક્રિયા $ABCDA$ દર્શાવેલ છે. પ્રક્રિયા ${A} \rightarrow {B}$ અને ${C} \rightarrow {D}$ દરમિયાન વાયુનું તાપમાન અનુક્રમે ${T}_{1}$ અને ${T}_{2}\left({T}_{1}\,>\,{T}_{2}\right)$ છે. જો પ્રક્રિયાઓ $BC$ અને $DA$ સમોષ્મી હોય તો નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

  • [JEE MAIN 2021]

સમોષ્મી પ્રક્રિયામાં શું અચળ હોય?

  • [AIIMS 1999]