- Home
- Standard 12
- Biology
નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.
Solution
આહાર સાંકળ અને આહારજળ : સીધી રેખામાં કોણ કોને ખાશે અને દરેક નિવસનતંત્રમાં ખવાઈ જાય તેને આહાર સાંકળ કહે છે. ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિધટકોને એકબીજા સાથે ચોકડી સ્વરૂપે સાંકળતી ખોરાકની સાંકળોને સંયુક્ત રીતે આહાર જળ કહે છે.
$(i)$ વાઘ, સિંહ : ઉચ્ચકક્ષાના માંસાહારી (ઉચ્ચ પોષકસ્તર)
$(ii)$ કરોળિયો, વંદો, ગરોણી, વરૂ, સાપ, ટોડ, માછલી, ક્રેન – દ્વિતીય ઉપભોગીઓ (તૃતીય પોપકસ્તર)
$(iii)$ ક્રસ્ટેશીયન, તીતીઘોડો, હરણ, ઉંદર, ખિસકોલી – દ્વિતીય પોપકસ્તર.
($iv)$ સસલું, હાથી, બકરી – પ્રાથમિક ઉપભોગીઓ (દ્વિતીય પોષકસ્તર)
$(v)$ ફાયટોપ્લેન્ક્ટોન, લીલ, હાઈડ્રીલા, મકાઈનો છોડ, નિમ્ફીઆ, સ્પાયરોગાયરા – ઉત્પાદકો (પ્રથમ પોષકસ્તર)