સૂર્યમુખી એ પુષ્પ નથી. સમજાવો.
સુર્યમુખી એ પુષ્પ નથી પણ પુષ્પવિન્યાસનો એક પ્રકાર છે જેમાં પુષ્પાધાર (Receptacle) ચપટું હોય છે. તે ઘણા અદંડી અને નાની પુખકલિકાઓ ધરાવે છે. સૌથી નાની પુષ્મકલિકા એ કેન્દ્રમાં હોય છે અને સૌથી જૂની પરિઘ તરફ હોય છે, બધી પુષ્પકલિકાઓનો સમૂહ એ નિપત્રોથી ઘેરાયેલ હોય છે તેને નિચક્ર (Involucre) કહે છે.
સૂર્યમુખીમાં બે પ્રકારની પુષ્પકલિકાઓ જોવા મળે છે :
$(i)$ કિરણપુખ (Ray Florets) : તે પુષ્પાધારની કિનારી પર ગોઠવાયેલ હોય છે જે વિશિષ્ટ પીળો રંગ અને પટ્ટા જેવા દલપત્રો ધરાવે છે. આ પુષ્પકલિકાઓ માદા અદંડી અને હંમેશાં અનિયમિત તથા એક કે વધારે ચક્રોમાં ગોઠવાયેલ હોય છે.
$(ii)$ બિંબ પુષ્પ (Disc florets) : તેઓ કેન્દ્રમાં ગોઠવાયેલ કિલિંગી અને નિયમિત (Actinomorphic) હોય છે.
પરિજાયી પુષ્પ ધરાવતી વનસ્પતિનું સાચું જૂથ શોધો.
ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........છે.
નીચે આપેલ કયું પુષ્પનું સહાયકચક્ર છે ?
નીચેનામાંથી પુષ્પ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
સહાયક અંગો $\quad$ પ્રજનન અંગો
..........નાં પુષ્પમાં નિપત્ર હાજર હોય છે.