કોઈ ગતિમાન પદાર્થનું નિયત સમયમાં સ્થાનાંતર શૂન્ય છે, તો આ પદાર્થે કાપેલ અંતર પણ શૂન્ય થશે ? તમારો ઉત્તર કારણ આપી સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ના, કોઈ ગતિમાન પદાર્થ નિયત સમયમાં તેના પ્રારંભિક સ્થાન પર પાછો આવી જાય તોપણ તેણે કાપેલ અંતર શૂન્ય થાય નહિ. 

Similar Questions

એક પથ્થર શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકતાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી ત્યાંથી પાછો નીચે આવે છે, તો તેની ગતિ માટે વેગ-સમયનો આલેખ દર્શાવો.

નીચે આપેલ આંકડાકીય માહિતી પરથી કોઈ ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર $\to $ સમયનો આલેખ દોરો. 

સમય $(s)$ $0$ $2$ $4$ $6$ $8$ $10$ $12$ $14$ $16$
સ્થાનાંતર $(m)$ $0$ $2$ $4$ $4$ $4$ $6$ $4$ $2$ $0$
 

આ આલેખનો ઉપયોગ કરીને પ્રથમ $4\, s$ માટે, ત્યાર બાદ $4\, s$ માટે અને અંતિમ $6 \,s$ માટે પદાર્થનો સરેરાશ વેગ જણાવો.

એક સાઇકલ-સવારની ગતિ માટે વેગ $\to $ સમયનો (આકૃતિ) આલેખ દર્શાવેલ છે, તો તેનો $(i)$ પ્રવેગ $(ii)$ વેગ $(iii)$ $15\, s$. માં સાઇકલ-સવારે કાપેલ અંતરની ગણતરી કરો. 

વેગ $(v) $ $\to $ સમય $(t)$ ના આલેખનો ઢાળ ............ આપે છે. 

બે પદાર્થો (દડા) એકસાથે ક્રમશઃ તેમના પ્રારંભિક વેગ $u_1$ તથા $u_2$ થી શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે, તો દર્શાવો કે તેમના દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈઓ $u_{1}^{2}: u_{2}^{2}$ ગુણોત્તરના પ્રમાણમાં છે.

(અહીં પદાર્થ (દડા)ની ઊર્ધ્વગતિ માટે પ્રવેગ $-g$ તથા અધોદિશામાં ગતિ માટે પ્રવેગ $+ g$ લો.)