એસિડ વર્ષા એટલે શું ? વાતાવરણીય પ્રદૂષકો દ્વારા એસિડ વર્ષાનું નિર્માણ સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વરસાદી પાણીની pH $5.6$ ની આસપાસ હોય છે. કારણ કે પાણી વાતાવરણ $\mathrm{CO}_{2}$ સાથે પ્રક્રિયા કરી $\mathrm{H}^{+}$ઉત્પન્ન કરે છે.

$\mathrm{H}_{2} \mathrm{O}_{(l)}+\mathrm{CO}_{2(\mathrm{~g})} \rightleftharpoons \mathrm{H}_{2} \mathrm{CO}_{3(\mathrm{aq})}$

$\mathrm{H}_{2} \mathrm{CO}_{3(\mathrm{aq})} \rightleftharpoons \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+\mathrm{HCO}_{3(\mathrm{aq})}^{-}$

વરસાદના પાણીની $pH$ $5.6$ કરતાં ઓછી હોય તો તેવા વરસાદને ઍસિડ વર્ષા કહે છે.

એસિડ વર્ષાથી વાતાવરણમાં રહેલો ઍસિડ પૃથ્વીની સપાટી પર જમા થાય છે. એસિડ પ્રકૃતિવાળા નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ વાતાવરણના ઘનકણો સાથે હવામાં વહીને જમીન પર શુષ્ક નિક્ષેપન સ્વરૂપે અથવા પાણી, ધુમ્મસ અને હિમમાં ભીના નિક્ષેપન સ્વરૂપે જમા થાય છે.

સલ્ફર અને નાઈટ્રોજનના ઓક્સાઈડ સંયોજનો ઉત્પન્ન થઈ વાતાવરણમાં ભળે છે. જે ઍસિડ વર્ષા માટે જવાબદાર છે. અશ્મિગત બળતણ કે જે સલ્ફર અને નાઈટ્રોજનજન્ય પદાર્થ ધરાવે છે. જેમ કે, વિદ્યુતમથક, ભક્કીઓમાં કોલસા કે ઑઈલ તથા વાહનોના ઓન્જિનમાં પેટ્રોલ અને ડીઝલના દહનથી પણ સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો ઉત્પન્ન થાય છે.

આ $\mathrm{NO}_{2}$ આને $\mathrm{SO}_{2}$ ઓક્સિડેશન બાદ પાણી સાદી પ્રક્રિયા કરી ઓસિડ વર્ષાના નિર્માણ મહત્તનો ભાગ ભજવે છે. પ્રદૂષિત હવામાં રહેલા રજકણો આ ઑક્સિડેશન પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તે છે.

$2 \mathrm{SO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}+2 \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightarrow 2 \mathrm{H}_{2} \mathrm{SO}_{4(\mathrm{aq})}$

$4 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}+2 \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightarrow 4 \mathrm{HNO}_{3(\mathrm{aq})}$

આમ, એમોનિયમ ક્ષાર ઉત્પન્ન થઈ તે ધૂંધળું વાતાવરણ બનાવે છે. જેને બારિક ક્ણોનું એરોસોલ કહે છે.

વરસાદી પાણીના બિંદુઓમાં ઑક્સાઈડ સંયોજનોના એરોસોલ કણો અથવા ઓમોનિયમ ક્ષારોનું ભીનું નિક્ષેપન થાય છે. જમીન પરની ધન અને પ્રવાહી સપાટી પર $\mathrm{SO}_{2}$ વાયુ પણ સીધો $\%$ શોષાઈને શુષ્ક નિક્ષેપન દર્શાવે છે.

924-s36g

Similar Questions

એક માણસ મ્યુનિસિપાલિટીમાંથી આવતું પાણી વાપરે છે. પાણીની અછતને કારણે તે જમીન નીચે સંગ્રહ કરેલું પાણી વાપરે છે. તેને વિરેચક અસર વર્તાય છે. તો તેનાં કારણો શું હોઈ શકે ? 

પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ કઈ નુકસાનકારક અસરો દર્શાવે છે ? અને તેઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ? 

ઓઝોન ઝેરી વાયુ છે અને પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. છતાં પણ સમતાપ આવરણમાં તે જરૂરી છે. જો સમતાપ આવરણમાંથી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય તો શું થાય - સમજાવો. 

પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના ઘટકો જણાવી, તેની અસરો જણાવો. 

ડ્રાયક્લિનિંગમાં ટેટ્રાક્લોરો ઇથેનની જગ્યાએ યોગ્ય ડિટરજન્ટ સાથે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ વૈકલ્પિક દ્રાવક છે. ટેટ્રાક્લોરો ઇથેનના વપરાશને અટકાવીને પર્યાવરણમાં કયા પ્રકારનું નુકસાન અટકાવવામાં આવે છે  પ્રદૂષણની દૃષ્ટિએ શું ડિટરજન્ટ સાથે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ યોગ્ય છે ? સમજાવો