રસીકરણનો મૂળ સિદ્ધાંત કયો છે ? રસી કઈ રીતે સૂક્ષ્મજીવોના ચેપને અટકાવે છે ? હિપેટાઇટીસ $-B$ ની રસી કયા સજીવમાંથી બનાવવામાં આવી છે ?
રસીકરણ કે પ્રતિકારકતાનો સિદ્ધાંત પ્રતિકાર તંત્રની સ્મૃતિના ગુણ પર આધારિત છે. રસીકરણમાં રોગપ્રતિકારક પ્રોટીન (રોગકારકનું ઍન્ટીજેનિક પ્રોટીન) કે નિષ્ક્રિય/નબળા રોગકારક (રસી) તૈયાર કરી શરીરમાં દાખલ કરાય છે. આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકોની અસર નાબૂદ કરે છે. આ રસી પણ સ્મૃતિ આધારિત $B$ અને $T-$ કોષો સર્જે છે. જે રોગકારકોને ઝડપથી ઓળખી, વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી હુમલાખોર ઍન્ટીજનને હરાવી દે છે.
હિપેટાઇટીસ $-\,B$ ની રસી યીસ્ટમાંથી બનાવવામાં આવે છે.
વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
રોગ પ્રતિકારકતાનાં કોષીય અંતરાયમાં ...... ને સમાવી શકાય નહી.
એન્ટિબોડી શાનાથી સર્જાય છે ?
શરીરમાં રોગપ્રતિકારક તંત્ર સમજાવો.
પ્રતિકારક તંત્રના સંદર્ભમાં 'સ્મૃતિ' શબ્દને કયા અર્થમાં લેવામાં આવે છે ?