પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખગતિમાં હોય, તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ શાથી કહી ન શકાય ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ગુરુત્વાકર્ષણ દરેક સ્થળે છે તેથી સ્થિર અથવા નિયમિત સુરેખ ગતિ કરતાં પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે.

ગતિમાં રહેલા પદાર્થો ધર્ષણ બળ, શ્યાનતા બળ વગેરે અનુભવે છે.

તેથી પૃથ્વી પર પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય, તો તે એટલા માટે નહી કે તેના પર કોઈ બળો લાગતાં નથી પછા એટલા માટે કે તેની પર લાગતાં જુદાં-જુદાં બાહ્ય બળોની અસર નાબૂદ થાય છે એટલે કે પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય છે.

આ ઉપરાંત સમક્ષિતિજ સપાટી પર સ્થિર પડેલા પુસ્તક પર બે બાહ્ય બળો લાગે છે.

$(1)$ પદાર્થનું વજન અધોદિશામાં

$(2)$ લંબબળ ($R$ અથવા $N$) ઊર્ધ્વદિશામાં

અહીં, પુસ્તક સ્થિર છે તેથી $W = R$ હોવાથી બળોની અસર નાબૂદ થાય છે તેથી પુસ્તક સ્થિર છે. આ તર્ક સાચો નથી પણ સાચું વિધાન આ મુજબ છે.

"પુસ્તક સ્થિર હોવાનું જણાતાં પહેલા નિયમ મુજબ, તેના પરનું ચોખ્યું બાહ્ય બળ શૂન્ય હોવું જ જોઈએ." જે દર્શાવે છે કે લંબબળ અને વજનબળ સમાન અને પરસ્પર વિદ્યુત દિશામાં હોવાં જોઈએ.

886-s67

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, એક $70\,kg$ દળ ધરાવતા, બગીચામાં વપરાતા, રોલરને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $\vec{F}=200\; N$ ના બળ વડે ધક્કો મારવામાં આવે છે. રોલર ઉપર લંબ પ્રતિબળ $...........\,N$ થશે. ( $g=10\,m s ^{-2}$ લો.)

  • [JEE MAIN 2023]

$\theta $ કોણ ઢાળ પર $m$ દળના પદાર્થ પરના સંપર્કબળ $R$ નું મૂલ્ય કેટલું ?

કણના સ્થાનાંતરિત ગતિમાના સંતુલન માટેની શરત લખો. 

જો તંત્ર પર લાગતું પરિણામી (Net) બળ શૂન્ય હોય તો

$10\ kg$ ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું $45^o$ વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... $N$ થશે.

  • [JEE MAIN 2019]