પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખગતિમાં હોય, તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ શાથી કહી ન શકાય ?
ગુરુત્વાકર્ષણ દરેક સ્થળે છે તેથી સ્થિર અથવા નિયમિત સુરેખ ગતિ કરતાં પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે.
ગતિમાં રહેલા પદાર્થો ધર્ષણ બળ, શ્યાનતા બળ વગેરે અનુભવે છે.
તેથી પૃથ્વી પર પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય, તો તે એટલા માટે નહી કે તેના પર કોઈ બળો લાગતાં નથી પછા એટલા માટે કે તેની પર લાગતાં જુદાં-જુદાં બાહ્ય બળોની અસર નાબૂદ થાય છે એટલે કે પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય છે.
આ ઉપરાંત સમક્ષિતિજ સપાટી પર સ્થિર પડેલા પુસ્તક પર બે બાહ્ય બળો લાગે છે.
$(1)$ પદાર્થનું વજન અધોદિશામાં
$(2)$ લંબબળ ($R$ અથવા $N$) ઊર્ધ્વદિશામાં
અહીં, પુસ્તક સ્થિર છે તેથી $W = R$ હોવાથી બળોની અસર નાબૂદ થાય છે તેથી પુસ્તક સ્થિર છે. આ તર્ક સાચો નથી પણ સાચું વિધાન આ મુજબ છે.
"પુસ્તક સ્થિર હોવાનું જણાતાં પહેલા નિયમ મુજબ, તેના પરનું ચોખ્યું બાહ્ય બળ શૂન્ય હોવું જ જોઈએ." જે દર્શાવે છે કે લંબબળ અને વજનબળ સમાન અને પરસ્પર વિદ્યુત દિશામાં હોવાં જોઈએ.
$\theta $ કોણ ઢાળ પર $m$ દળના પદાર્થ પરના સંપર્કબળ $R$ નું મૂલ્ય કેટલું ?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $2\, kg$ દળ ધરાવતા પદાર્થને $AB$ દોરી વડે લટકાવેલ છે. $2\, kg$ દળના બીજા છેડે તે જ પ્રકારની દોરી $CD$ બાંધેલી છે. નીચેની દોરીને આંચકા સાથે ખેંચવામાં આવે તો શું થાય ?
લીસા સમક્ષિતિજ ટેબલ પર $l$ લંબાઈની દોરીનો એક છેડો $m$ દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલ છે. જો કણ $v$ ઝડપથી વર્તુળમય ગતિ કરે, તો કણ પરનું ચોખ્ખું (પરિણામી) બળ (કેન્દ્ર તરફની દિશામાં) કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો :
$(i) \;T,$ $(ii)\; T-\frac{m v^{2}}{l},$ $(iii)\;T+\frac{m v^{2}}{l},$ $(iv) \;0$
$T$ દોરીમાંનું તણાવ છે.
દ્વિ-પરિમાણમાં ગતિ કરતાં કણના $(x,\, t)$, $(y,\, t)$ ની આકૃતિઓ નીચે દર્શાવી છે.
જો કણનું દળ $500\, g$ હોય તો તેનાં પર લાગતું બળ (મૂલ્ય અને દિશા) શોધો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અનુક્રમે બે દળો $10 \,kg$ અને $20 \,kg$ નો દળરહિત સ્પ્રિંગ સાથે જોડેલ છે , $20\, kg$ દળ પર $200 \;N$ દળ લાગે છે. તે જ સમયે. $10 \,kg$ નો દળ જમણી બાજુ $12 \,m / s ^2$ નો પ્રવેગ ધરાવે છે. તે જ ક્ષણે $20 \,kg$ દળનો પ્રવેગ ................. $m / s ^2$ છે