પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખગતિમાં હોય, તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ શાથી કહી ન શકાય ?
ગુરુત્વાકર્ષણ દરેક સ્થળે છે તેથી સ્થિર અથવા નિયમિત સુરેખ ગતિ કરતાં પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે.
ગતિમાં રહેલા પદાર્થો ધર્ષણ બળ, શ્યાનતા બળ વગેરે અનુભવે છે.
તેથી પૃથ્વી પર પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય, તો તે એટલા માટે નહી કે તેના પર કોઈ બળો લાગતાં નથી પછા એટલા માટે કે તેની પર લાગતાં જુદાં-જુદાં બાહ્ય બળોની અસર નાબૂદ થાય છે એટલે કે પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય છે.
આ ઉપરાંત સમક્ષિતિજ સપાટી પર સ્થિર પડેલા પુસ્તક પર બે બાહ્ય બળો લાગે છે.
$(1)$ પદાર્થનું વજન અધોદિશામાં
$(2)$ લંબબળ ($R$ અથવા $N$) ઊર્ધ્વદિશામાં
અહીં, પુસ્તક સ્થિર છે તેથી $W = R$ હોવાથી બળોની અસર નાબૂદ થાય છે તેથી પુસ્તક સ્થિર છે. આ તર્ક સાચો નથી પણ સાચું વિધાન આ મુજબ છે.
"પુસ્તક સ્થિર હોવાનું જણાતાં પહેલા નિયમ મુજબ, તેના પરનું ચોખ્યું બાહ્ય બળ શૂન્ય હોવું જ જોઈએ." જે દર્શાવે છે કે લંબબળ અને વજનબળ સમાન અને પરસ્પર વિદ્યુત દિશામાં હોવાં જોઈએ.
$\theta $ કોણ ઢાળ પર $m$ દળના પદાર્થ પરના સંપર્કબળ $R$ નું મૂલ્ય કેટલું ?
$0.05 \,kg$ દળની એક લખોટી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો.
$(a)$ તેની ઊર્ધ્વદિશામાંની ગતિ દરમિયાન
$(b)$ તેની અધોદિશામાંની ગતિ દરમિયાન
$(c)$ તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ. જો લખોટીને સમક્ષિતિજ સાથે $45^o$ ના કોણે ફેંકવામાં આવી હોત તો શું તમારા જવાબો જુદા હોત ? હવાનો અવરોધ અવગણો.
$4 \,kg$ દળ નાં એક બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી શિરોલંબ દિવાલની સામે બળ $F$ લગાડીને સ્થિર મુકેલો છે. તો લગાડવામાં આવતું બળ .......... $N$ છે? $\left(g=10 \,m / s ^2\right)$
દ્વિ-પરિમાણમાં ગતિ કરતાં કણના $(x,\, t)$, $(y,\, t)$ ની આકૃતિઓ નીચે દર્શાવી છે.
જો કણનું દળ $500\, g$ હોય તો તેનાં પર લાગતું બળ (મૂલ્ય અને દિશા) શોધો.
$80\, kg$ નો એક વ્યક્તિ પેરાશૂટિંગ કરે છે અને નીચે તરફ $2.8\, m/s^2$ જેટલો પ્રવેગ અનુભવે છે. પેરશૂટનું દળ $5\, kg$ છે. તો પેરાશૂટને ખોલવા માટે ઉપર તરફ ........... $N$ બળ લાગતું હશે . ( $g = 9.8\, m/s^2$)