આવર્તકોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતાં બદલાતા વલણ વિશે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

  • A

     તત્ત્વનો ધાત્વીય ગુણ ઘટતો જાય છે. 

  • B

    સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંખ્યા વધતી જાય છે. 

  • C

    પરમાણુઓ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રૉન ગુમાવે છે.

  • D

    ઑક્સાઇડ વધુ ઍસિડિક બને છે. 

Similar Questions

મેન્ડેલીફે પોતાનું આવર્તકોષ્ટક તૈયાર કરવા માટે ક્યાં માપદંડ (criteria) ધ્યાનમાં લીધાં?

ગેલિયમ સિવાય અત્યાર સુધી કયાં-કયાં તત્ત્વો વિશે જાણ થઈ છે જેના માટે મેન્ડેલીફે પોતાના આવર્તકોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતું ? (ગમે તે બે)  

આધુનિક આવર્તકોષ્ટકમાં કૅલ્શિયમ (પરમાણ્વીય-ક્રમાંક $20$)ની ચારે તરફ $12$, $19$, $21$ તથા $38$ પરમાણ્વીય-ક્રમાંક ધરાવતાં તત્ત્વો રહેલાં છે. આમાંથી કયાં તત્ત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કૅલ્શિયમ જેવા જ છે ? 

આવર્તકોષ્ટકમાં ત્રણ તત્ત્વો $A$, $B$ તથા $C$ નું સ્થાન નીચે દર્શાવેલ છે-

સમૂહ $16$ સમૂહ $17$
- -
- $A$
- -
$B$ $C$

$ (a)$ જણાવો કે, $A$ ધાતુ છે કે અધાતુ.

$(b)$ જણાવો કે, $A$ ની સરખામણીમાં $C$ વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું પ્રતિક્રિયાત્મક.

લિથિયમ, સોડિયમ, પોટૅશિયમ આ બધી એવી ધાતુઓ છે કે જે પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. શું આ તત્ત્વોના પરમાણુઓમાં કોઈ સમાનતા છે ?