શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરી શકતું નથી જયારે વરસાદનું પાણી વિદ્યુતવહન કરી શકે છે  કારણ કે નિસ્યંદિત પાણી એ સંપૂર્ણપણે શુદ્ધ પાણી ગણાય છે. આથી તે કોઈપણ પ્રકારના આયનો ધરાવતું નથી. પરિણામે તે વિદ્યુતવહન કરી શકતું નથી. 

જ્યારે વરસાદના પાણીમાં થોડીક માત્રામાં ઍસિડના સ્વરૂપમાં વિદ્યુતવિભાજય હાજર હોય છે. જેના વિયોજનથી તે વિદ્યુતનું વહન કરી શકે છે.

વરસાદના પાણીમાં આ પ્રકારના ઍસિડ એ ઍસિડિક ઑક્સાઇડ જેવા કે $SO_2$, $NO_2$ વગેરેની પાણી સાથેની પ્રક્રિયા દ્વારા ઉદ્ભવે છે અને અંતે તે વિયોજન દ્વારા આયનો મુક્ત કરે છે જે વિદ્યુતવહન માટે જવાબદાર છે.

Similar Questions

શા માટે ઍસિડ પાણીની ગેરહાજરીમાં ઍસિડિક વર્તણૂક દર્શાવતા નથી ?

અપચાના ઉપચાર માટે નીચેના પૈકી ક્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે ?

તટસ્થીકરણ પ્રક્રિયા શું છે ? બે ઉદાહરણ આપો.

શા માટે શુષ્ક $HCl$ વાયુ શુષ્ક લિટમસપેપરનો રંગ બદલતો નથી ? 

$10 \,mL$ $NaOH$ ના દ્રાવણનું $8 \,mL$ આપેલ $HCl$ ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ $NaOH$ નું $20 \,mL$ દ્રાવણ લઈએ, તો તેને તટસ્થ કરવા માટે $HCl$ ના દ્રાવણ (પહેલા હતું તે જ દ્રાવણ)ની જરૂરી માત્રા ......... $mL$.