શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરી શકતું નથી જયારે વરસાદનું પાણી વિદ્યુતવહન કરી શકે છે  કારણ કે નિસ્યંદિત પાણી એ સંપૂર્ણપણે શુદ્ધ પાણી ગણાય છે. આથી તે કોઈપણ પ્રકારના આયનો ધરાવતું નથી. પરિણામે તે વિદ્યુતવહન કરી શકતું નથી. 

જ્યારે વરસાદના પાણીમાં થોડીક માત્રામાં ઍસિડના સ્વરૂપમાં વિદ્યુતવિભાજય હાજર હોય છે. જેના વિયોજનથી તે વિદ્યુતનું વહન કરી શકે છે.

વરસાદના પાણીમાં આ પ્રકારના ઍસિડ એ ઍસિડિક ઑક્સાઇડ જેવા કે $SO_2$, $NO_2$ વગેરેની પાણી સાથેની પ્રક્રિયા દ્વારા ઉદ્ભવે છે અને અંતે તે વિયોજન દ્વારા આયનો મુક્ત કરે છે જે વિદ્યુતવહન માટે જવાબદાર છે.

Similar Questions

$10 \,mL$ $NaOH$ ના દ્રાવણનું $8 \,mL$ આપેલ $HCl$ ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ $NaOH$ નું $20 \,mL$ દ્રાવણ લઈએ, તો તેને તટસ્થ કરવા માટે $HCl$ ના દ્રાવણ (પહેલા હતું તે જ દ્રાવણ)ની જરૂરી માત્રા ......... $mL$.

ધાતનું એક સંયોજન $A$ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરીને ઊભરા (effervescence) ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતાં સંયોજનો પૈકી એક કૅલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

જ્યારે ઍસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો  $(H_3O^+)$ ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે ?

તાજા દૂધની $pH$ $6$ છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની $pH$ ના ફેરફાર વિશે તમે શું વિચારો છો ? તમારો ઉત્તર સમજાવો.

પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ?