- Home
- Standard 11
- Biology
વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ વિશે ટૂંક નોંધ લખો.
Solution
વસંતકાષ્ઠ: વસંતઋતુમાં એધા ખૂબ જ ક્રિયાશીલ હોય છે અને વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે,
વસંતઋતુમાં પર્ણોની સંખ્યા વધે છે તેથી રસના વહન માટે વધારાની જલવાહિનીઓની જરૂર પડે છે.
આ ઋતુ દરમિયાન બનતા કાષ્ઠને વસંતકાષ્ઠ (Spring wood) કે પૂર્વકાષ્ઠ (Early Wood) કહે છે.
વસંતકાષ્ઠ આછા રંગનું તથા ઓછી ઘનતા (Lower Density) ધરાવતું હોય છે.
શરદકાષ્ઠ (Autumn) : શિયાળામાં એધા ઓછી ક્રિયાશીલ હોય છે અને સાંકડી જલવાહિનીઓ ધરાવતા થોડાક પ્રમાણમાં જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. આ કાઇને શરદકાઇ (Autumn Wood) કે માજીકાષ્ઠ (Late Wood) કહે છે.
શરદકાષ્ઠ ઘેરા રંગનું તથા વધુ ઘનતા (Higher Density) ધરાવે છે,
વાર્ષિક વલયો (Annual Rings) : વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ એકાંતરે કેન્દ્રાનુવર્તી (Concentric) વલયોમાં દેખાય છે જે વાર્ષિક વલયો (Annual Rings) બનાવે છે. કાપેલા પ્રકાંડમાં જોવા મળતા વાર્ષિક વલયો વૃક્ષની ઉંમરનો અંદાજ આપે છે