સ્થિતવિધુતભારને લગતાં સુવાહકોના અગત્યના પરિણામો લખો.
આ માટે નીયે મુજબના પરિણામો મળે છે.
$(1)$ સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
$(2)$ વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુતક્ષેત્ર, સપાટીને દરેક બિદુએ લંબ હોય છે.
$(3)$ સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકे નહી.
$(4)$ સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુતસ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે.
$(5)$ વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુતક્ષેત $\overrightarrow{ E }=\frac{\sigma}{\epsilon_{0}} \cdot \hat{n}$ છે.
જ્યાં $\sigma$ = વિદ્યુતભારની પૃષ્ઠધનતા
$\epsilon_{0}=$ શૂન્યાવકાશની પરમિટિવિટી છે.
$\hat{n}=$ સપાટી પર બહારની તરફનો લંબ એકમ સદિશ છે.
$(6)$ કોઈ પણ સુવાહક્ની બખોલની અંદરના ભાગમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે. એટલે કે, ઇલેક્ટ્રોસ્ટેટિક શીલડિંગ થાય છે.
જો નક્કર અને પોલા સુવાહક ગોળાની ત્રિજ્યા સમાન હોય તો,
કોપર અને એલ્યુમિનિયમના સમાન વાહકને સમાન વિદ્યુતક્ષેત્રમાં મુકતા એલ્યુમિનિયમમાં પ્રેરિત થતો વિદ્યુતભાર ....
$(a)$ આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ એક બખોલ $( Cavity )$ ધરાવતા સુવાહક $A$ ને $Q$ વિધુતભાર આપેલ છે. દર્શાવો કે સમગ્ર વિધુતભાર સુવાહકની બહારની સપાટી પર જ દૃશયમાન થશે..
$(b)$ $q$ વિધુતભાર ધરાવતો બીજો સુવાહક, કેવીટી ( બખોલ ) ની અંદર $A$ થી અલગ રહે તેમ દાખલ કરેલ છે. દર્શાવો કે $A$ ની બહારની સપાટી પરનો કુલ વિધુતભાર $Q+q$ ( આકૃતિ $(b)$ ) છે.
$(c)$ એક સંવેદી ઉપકરણને તેના પરિસરમાના ( આસપાસના ) પ્રબળ સ્થિરવિધુત ક્ષેત્રોથી બચાવવું ( $Shield$ કરવું ) છે. આ માટે એક શક્ય ઉપાય સૂચવો.
$A$ અને $B$ બે વાહક ગોળાઓની ત્રિજ્યાઓ અનુક્રમે $1\, mm$ અને $2 \,mm$ છે અને તેઓ વિદ્યુતભારિત કરેલાં છે તથા $5\, cm$ અંતરે રાખેલા છે. હવે તેમને વાહક તારથી જોડતાં સમતોલન સ્થિતિમાં તેમની સપાટી પરનાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતાઓનો ગુણોત્તર ...... છે.
ધાતુઓમાં સ્થિત વિધુતશાસ્ત્ર સમજાવો. બાહ્ય વિધુતક્ષેત્રમાં ધાતુઓને મૂકતાં થતી અસર સમજાવો