નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો. આ સમીકરણને કોણીય વેગ $(\omega )$ અને આવૃત્તિ $(v)$ ના રૂપમાં મેળવો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ $\Delta t$ સમયગાળામાં $P$ થી $P'$ પર પહોંચે છે.
આ દરમિયાન કણ વર્તુળમાર્ગના કેન્દ્ર સાથે $\Delta \theta$ ખૂણો આંતરે છે.
$\Delta \theta$ ને કોણીય અંતર (અથવા કોણીય સ્થાનાંતર) કહે છે.
કોણીય ઝડપ$=$કોણીય સ્થાનાંતર/તે માટેનો સમયગાળો
$\therefore \quad \omega=\frac{\Delta \theta}{\Delta t}$
$\Delta t$ સમયમાં કણે કાપેલું રેખીય અંતર $\Delta s$ છે.નાના સમયગાળા માટે $PP ^{\prime}=\Delta s$ લઈ શકાય.
રેખીય ઝડપ $=$ રેખીય અંતર/તે માટેનો સમયગાળો
$\therefore v=\frac{\Delta s}{\Delta t}$
ખૂણો$=$ચાપ/ત્રિજ્યા,અનુસાર
$\therefore \Delta \theta=\frac{\Delta s}{ R }$
$\therefore \Delta s= R \Delta \theta$
$v= R \frac{\Delta \theta}{\Delta t}$
$\therefore v= R \omega$
કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ,
$a_{c}=\frac{v^{2}}{ R }$
$10\, kg$ અને $5 \,kg$ દળના બે પદાર્થો $R$ અને $r$ ત્રિજયાના વર્તુળ પર સમાન સમયમાં પરિભ્રમણ પૂરું કરે છે.તો તેમના કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?
એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ $\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y$ અનુસાર આપવામાં આવે છે.અહીં $\omega $ અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
નિયમિત વર્તુળાકાર ગતિમાં
$(i) $ વેગનું મૂલ્ય અચળ હોય છે,
$(ii) $ વેગસદિશ અચળ હોય છે.
$(iii)$ વેગની દિશા અચળ હોય છે - સાચું વિધાન પસંદ કરો.
દરેકનું દળ $m$ હોય તેવા બે પદાર્થો એક સમાન કોણીય ઝડપે સમક્ષિતિજ વર્તુળાકારમાં ગતિ કરી રહ્યાં છે. જો બંને દોરીઓ સમાન લંબાઈની હોય તો દોરીમાં ઉદભવતાં તણાવનો ગુણોત્તર $\frac{T_1}{T_2} \ldots \ldots$ છે
નિયમિત વર્તુળ ગતિ એટલે શું ? નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો.