નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો. આ સમીકરણને કોણીય વેગ $(\omega )$ અને આવૃત્તિ $(v)$ ના રૂપમાં મેળવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ $\Delta t$ સમયગાળામાં $P$ થી $P'$ પર પહોંચે છે.

આ દરમિયાન કણ વર્તુળમાર્ગના કેન્દ્ર સાથે $\Delta \theta$ ખૂણો આંતરે છે.

$\Delta \theta$ ને કોણીય અંતર (અથવા કોણીય સ્થાનાંતર) કહે છે.

કોણીય ઝડપ$=$કોણીય સ્થાનાંતર/તે માટેનો સમયગાળો

$\therefore \quad \omega=\frac{\Delta \theta}{\Delta t}$

$\Delta t$ સમયમાં કણે કાપેલું રેખીય અંતર $\Delta s$ છે.નાના સમયગાળા માટે $PP ^{\prime}=\Delta s$ લઈ શકાય.

રેખીય ઝડપ $=$ રેખીય અંતર/તે માટેનો સમયગાળો 

$\therefore v=\frac{\Delta s}{\Delta t}$

 ખૂણો$=$ચાપ/ત્રિજ્યા,અનુસાર

$\therefore \Delta \theta=\frac{\Delta s}{ R }$

$\therefore \Delta s= R \Delta \theta$

$v= R \frac{\Delta \theta}{\Delta t}$

$\therefore v= R \omega$

કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ,

$a_{c}=\frac{v^{2}}{ R }$

885-s103

Similar Questions

$10\, kg$ અને $5 \,kg$ દળના બે પદાર્થો $R$ અને $r$ ત્રિજયાના વર્તુળ પર સમાન સમયમાં પરિભ્રમણ પૂરું કરે છે.તો તેમના કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ $\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y$ અનુસાર આપવામાં આવે છે.અહીં $\omega $ અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?

  • [NEET 2016]

નિયમિત વર્તુળાકાર ગતિમાં

$(i) $ વેગનું મૂલ્ય અચળ હોય છે,

$(ii) $ વેગસદિશ અચળ હોય છે.

$(iii)$ વેગની દિશા અચળ હોય છે - સાચું વિધાન પસંદ કરો.

દરેકનું દળ $m$ હોય તેવા બે પદાર્થો એક સમાન કોણીય ઝડપે સમક્ષિતિજ વર્તુળાકારમાં ગતિ કરી રહ્યાં છે. જો બંને દોરીઓ સમાન લંબાઈની હોય તો દોરીમાં ઉદભવતાં તણાવનો ગુણોત્તર $\frac{T_1}{T_2} \ldots \ldots$ છે

નિયમિત વર્તુળ ગતિ એટલે શું ? નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો.