ત્રુટિઓના ગુણાકાર કે ભાગાકારની અંતિમ પરિણામ પર થતી અસર મેળવો.
ધારો કે બે ભૌતિક રાશિઓ A અને B ના માપનના મૂલ્યો A $\pm \Delta A$ અને B $\pm \Delta B$ છે. જ્યાં $\triangle A$ अને $\Delta B$ એ અનુક્રમે A અને B ની નિરપેક્ષ ત્રુટિ છે.
ગુણાકાર માટે : ધારો કે $A$ અને $B$ નો ગુણાકાર $Z$ છે તથા $Z$ માં નિરપેક્ષ ત્રુટિ $\Delta \mathrm{Z}$ છે.
$\therefore \mathrm{Z}=\mathrm{AB}$
$\therefore \mathrm{Z} \pm \Delta \mathrm{Z}=(\mathrm{A} \pm \Delta \mathrm{A})(\mathrm{B} \pm \Delta \mathrm{B}) $
$\therefore \mathrm{Z} \pm \Delta \mathrm{Z}=\mathrm{AB} \pm \mathrm{A} \Delta \mathrm{B} \pm \mathrm{B} \Delta \mathrm{A} \pm(\Delta \mathrm{A} \Delta \mathrm{B})$
ડાબી બાજુ Z વડે તથા જમણી બાજુને $AB$ વડે ભાગતાં,
$1 \pm \frac{\Delta Z }{ Z }=1 \pm \frac{\Delta A }{ A } \pm \frac{\Delta B }{ B } \pm\left(\frac{\Delta A }{ A }\right)\left(\frac{\Delta B }{ B }\right)$
$\frac{\Delta A }{ A }$ અને $\frac{\Delta B }{ B }$ખૂબ જ નાના હોવાથી તેમનો ગુણાકાર શૂન્યવત બને તેથી તેમને અવગણતાં $\mathrm{Z}$ માં મહત્તમ સાપેક્ષ ત્રુટિ માટે ઋણ નિશાની અવગણતાં,
$\frac{\Delta Z}{Z}=\frac{\Delta A }{ A }+\frac{\Delta B }{ B }$
ભાગાકાર માટે : ધારો કે A અને B નો ભાગાકાર Z છે તથા Z માં નિરપેક્ષ ત્રુટિ $\Delta Z$ છે.
$\therefore \mathrm{Z}=\frac{\mathrm{A}}{\mathrm{B}}$
$\therefore Z \pm \Delta Z =\frac{ A \pm \Delta A }{ B \pm \Delta B }$
$Z\left(1 \pm \frac{\Delta Z}{Z}\right)=\frac{A\left(1 \pm \frac{\Delta A}{A}\right)}{B\left(1 \pm \frac{\Delta B}{B}\right)}$
હવે ડાબી બાજુ $Z$ અને જમણી બાજુ $\frac{\mathrm{A}}{\mathrm{B}}$ વડે ભાગતાં,
$1 \pm \frac{\Delta Z}{Z}=\frac{1 \pm \frac{\Delta A}{A}}{1 \pm \frac{\Delta B}{B}}$
$\therefore 1 \pm \frac{\Delta Z }{ Z }=\left(1 \pm \frac{\Delta A }{ A }\right)\left(1 \pm \frac{\Delta B }{ B }\right)^{-1}$
$\left(1 \pm \frac{\Delta B}{B}\right)^{-1}$ ના દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરણકના પ્રથમ બે પદો લખતાં,
એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે
$1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s$ અને $1.28\; s$
તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?
જો $A$ સળિયાની લંબાઈ $3.25 \pm 0.01 \,cm$ અને $B$ સળિયાની લંબાઈ $4.19 \pm 0.01\, cm $ હોય તો સળિયા $B$ ની લંબાઈ સળિયા $A$ કરતાં કેટલી વધારે હશે?
એક ભૌતિક રાશિ $A$ બીજા ચાર આવકલોકન $p,q,r$ અને $s$ પર $A=\frac{\sqrt{pq}}{r^2s^3}$ મુજબ આધાર રાખે છે. $p,q,r$ અને $s$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1\%,$ $3\%,\,\, 0.5\%$ અને $0.33\%$ હોય તો $A$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?
આપેલ તારનો અવરોધ તેમાંથી પસાર થતાં પ્રવાહ અને તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનાં તફાવત પરથી માપી શકાય છે. જો પ્રવાહ અને વૉલ્ટેજના માપનમાં દરેકની પ્રતિશત ત્રુટિ $3 \%$ હોય, તો અવરોધના માપનમાં કેટલી ત્રુટિ ($\%$) થાય?
કાચનો વક્રીભવનાંક શોધવાના પ્રયોગમાં વક્રીભવનાંકના મૂલ્યો $1.54, 1.53,$ $ 1.44, 1.54, 1.56$ અને $1.45$ મળે છે, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ =....