સદિશોના વિભાજનનો અર્થ સમજાવો.
આકૃતિ $(a)$ માં $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ સમતલીય અને અસમાંતર સદિશો છે.
આપણે $\overrightarrow{ R }$ નું $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ માં વિભાજન કરવું છે.
ધારો કે, સદિશ $\overrightarrow{ OQ }$ એ સદિશ $\overrightarrow{ R }$ ને દર્શાવે છે.
આકૃતિ (b) માં દર્શાવ્યા પ્રમાણે $O$ માંથી પસાર થતી અને $\overrightarrow{ A }$ ને સમાંતર હોય તેવી રેખા દોરો તથા $Q$ માંથી પસાર થતી અને $\overrightarrow{ B }$ ને સમાંતર હોય તેવી રેખા દોરો. આ રેખાઓ $P$ બિંદુમાં છેદે છે.
સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત પ્રમાણે,
$\overrightarrow{ OQ }=\overrightarrow{ OP }+\overrightarrow{PQ}$
અહીં $\overrightarrow{ OP } \| \overrightarrow{ A }$ છે.
$\therefore \overrightarrow{ OP }=\lambda \overrightarrow{ A }$
અને $\overrightarrow{ PQ } \| \overrightarrow{ B }$ છે.
$\therefore \overrightarrow{ PQ }=\mu \overrightarrow{ B }$ ( અ્હી , $\lambda$ અને $\mu$ અદિશો છે.)
$\therefore \overrightarrow{ R }=\lambda \overrightarrow{ A }+\mu \overrightarrow{ B }$
અથવા
$\overrightarrow{ R }$$=$$(\overrightarrow{ R }$ નો $\overrightarrow{ A }$ ના દિશાનો ધટક $)$$+$($\overrightarrow{R}$ નો $\overrightarrow{ B }$ ની દિશાનો ઘટક $)$
$4$ ના મૂલ્યનો સ્થાનાંતર સદીશ $x$ -અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. $x-y$ સમતલમાં તેનો લંબઘટકો શું હશે ?
$5 \,N$ બળ શિરોલંબ સાથે $60^°$ ના ખૂણે લાગે છે,તો બળનો શિરોલંબ ઘટક......... $N$ મેળવો.
દ્વિ-પરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો. અથવા સદિશનું તેના લંબઘટકોમાં વિભાજન સમજાવો.
સદિશના વિભાજનની જરૂર ક્યારે પડે છે ?
બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નો પરિણામી સદિશ $\vec{A}$ ને લંબ અને તનું મૂલ્ય $\vec{B}$ ના કરતાં અડધુ છે. $\vec{A}$ અન $\vec{B}$ વચ્ચેનો કોણ ............. હશે.