બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું ? તેનું મહત્વ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે છે અને તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે. સતત સ્વપરાગનયન થવાને લીધે અંતઃસંવર્ધન દબાણ (Inbreeding Depression) થાય છે.

સપુષ્પી વનસ્પતિઓ સ્વ-પરાગનયનમાં અવરોધ ઊભો કરવા અને પર-પરાગનયનના ઉત્તેજન માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે.

$(i)$ પૃથકતા $:$ કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો સમય એક જ હોતો નથી તેને પૃથકતા કહે છે. પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે. દા.ત., પામ્સ (Palms).

$(ii)$ પરાગાશય અને પરાગાસનનાં જુદાં જુદાં સ્થાન $:$ કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદાં-જુદાં સ્થાનોએ આવેલાં હોય છે. આથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી. દા.ત., પ્રિચુલા. આ બંને પ્રયુક્તિઓ સ્વફલનને અવરોધે છે.

$(iii)$ સ્વઅસંગતતા $:$ જે પ્રયુક્તિ અંતઃસંવર્ધનને અટકાવે છે તેને સ્વઅસંગતતા કહે છે. દા.ત., માલ્યા. આ એક જનીનિક ક્રિયાવિધિ છે. તે સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ અને પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.

$(iv)$એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા $:$ સ્વપરાગનયન અટકાવવા માટે તે માત્ર એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. એકસદની વનસ્પતિઓ (દા.ત., દિવેલા, મકાઈ)માં સ્વલન અટકાવી શકાય છે. પરંતુ ગેઇટોનોગેમી અટકાવી શકાતું નથી. જયારે દ્વિસદની વનસ્પતિઓ (દા.ત., પપૈયાં)માં સ્વફલન અને ગેઇટોનોગેમી એમ બંને અટકાવી શકાય છે.

Similar Questions

સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?

સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?

જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.

પ્રયુક્તિઓ જે સ્વપરાગનયનને નિરાશ કરે છે.

નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.