નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.
ક્થન $(A)$ : પાણીના બુંદના દોલનોનો આવર્તકાળ પૃષ્ઠતાણ $(S)$ ઉપર આધાર રાખે છે, જો પ્રવાહીની ઘનતા $\rho$, બુંદની ત્રિજ્યા $r$ હોય, તો $T = K \sqrt{ \rho r ^3 / S ^{3 / 2}}$ એ પરિમાણિક રીતે સાચું છે. જ્યાં $K$ એ પરિમાણરહિત છે.
કારણ $(R)$ : પરિમાણીક વિશ્લેષણની મદદથી આપણાને જ.બા. સમય કરતા જુદું પરિમાણ મળે છે.
ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]
  • A
    $(A)$ અને $(R)$ બંને સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી આપે છે.
  • B
    $(A)$ અને $(R)$ બંને સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી આપતું નથી.
  • C
    $(A)$ સાયું છે પરંતુ $(R)$ ખોટું છે.
  • D
    $(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે.

Similar Questions

જો વેગમાન $[P]$, ક્ષેત્રફળ $[A]$ અને સમય $[T]$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શ્યાનતા ગુણાંકનું પરિમાણિક સૂત્ર $........$ થશે.

  • [JEE MAIN 2022]

જો વેગ $(V)$, બળ $(F)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઉર્જાનું પરિમાણિક સૂત્ર શું થાય?

લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એક એકમ થાય. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતાં $8\; min$ અને $20\; s$ લાગતા હોય, તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય ?

$m$ દળના પદાર્થને વહેતી નદી ખસેડે છે.તે નદીનો વેગ $V$, પાણીની ઘનતા $(\rho )$ અને ગુરુત્વપ્રવેગ $g$ પર આઘાર રાખે છે.તો $m  \propto $

નીચે પૈકી કયું સમીકરણ પારિમાણિક રીતે ખોટું થાય?

જ્યાં $t=$સમય, $h=$ઊંચાઈ, $s=$પૃષ્ઠતાણ, $\theta=$ખૂણો, $\rho=$ઘનતા, $a, r=$ત્રિજ્યા, $g=$ગુરુત્વ પ્રવેગ, ${v}=$કદ, ${p}=$દબાણ, ${W}=$કાર્ય, $\Gamma=$ટોર્ક, $\varepsilon=$પરમિટિવિટી, ${E}=$વિદ્યુતક્ષેત્ર, ${J}=$પ્રવાહઘનતા, ${L}=$લંબાઈ

  • [JEE MAIN 2021]