જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો કેવી રીતે વધારો કરે છે?
ષિ-ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો વધુપડતો ઉપયોગ,એ પ્રદૂષણ સર્જવા માટેનું અગત્યનું કારણ છે. પરંતુ, હવે આપણને સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતરોના વધુપડતાં ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે, જેના પરિણામે કાર્બનિક ખેતી (organic farming) કરવા અને જૈવિક ખાતરો (biofertilisers) નો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે.
જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ-ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા છે. તમે અભ્યાસ કર્યો છે કે, શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળ પર સહજીવી રાઈઝોબિયમ (Rhinobium) બેક્ટેરિયા દ્વારા ગંડિકાનું નિર્માણ થાય છે. બેક્ટેરિયા વાતાવરણમાંના $N_2$ નું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી [એઝોસ્પિીરીલિયમ (Azospirillum) અને એઝોટોબેક્ટર (Azotobacter)] તરીકે વસે છે, તેઓ પણ વાતાવરણમાંના $N_2$ નું સ્થાપન કરીને, ભૂમિને નાઈટ્રોજનથી સમૃદ્ધ કરે છે.
નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?
નીચેનામાંથી ક્યાં સહજીવી નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા નથી?
યોગ્ય જોડ મેળવોઃ
કૉલમ $I$ | કૉલમ $II$ |
$1.$ માઈકોરાઈઝા | $a.$ મુક્તજીવી $N_2- $ સ્થાપક |
$2.$ નોસ્ટોક | $b.$ ફૉસ્ફરસ તત્વના શોષણમા સુલભતા |
$3.$ એઝોસ્પાયરીલમ | $c.$ શિમ્બીકુળની વનસ્પતિ |
$4.$ રાઈઝોબિયમ | $d.$ સ્વયંપોષી $N_2- $ સ્થાપક |
આધુનિક ખેડૂત ........દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં $50\%$ સુધી વધારો કરી શકે છે.
ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો ....