- Home
- Standard 12
- Biology
કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?
Solution
ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગ (Alexander Fleming) જ્યારે સ્ટેફાયલોકોકાઈ (Staphylococci) બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા; ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મૉલ્ડ ઉત્પન્ન થઈ હતી, જ્યાં સ્ટેફાયલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહિ. તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું, પછી તેને 'પેનિસિલિન' નામ આપ્યું, કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ (Panicillim notatium) મૉલ્ડ (ફૂગ) માંથી સર્જાયું હતું. તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચૈન (Ernest chain) અને હાવર્ડ ફ્લોરે (Howard Florey) એ તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી ઍન્ટિબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. આ ઍન્ટિબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો. ફ્લેમિંગ, જૈન અને ફ્લોરેનને આ સંશોધન માટે, $1945$ માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
Similar Questions
યોગ્ય જોડ મેળવોઃ
કૉલમ $I$ | કૉલમ $II$ |
$1.$ $ LAB$ | $a.$ ક્વોન્ટમ $-4000 $ |
$2.$ પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની | $b.$ મુક્તજીવી $N_2- $ સ્થાપક |
$3.$ એઝેટોબેક્ટર એસીટી | $c.$ લેકટીક એસિડ ઉત્પાદન |
$4.$ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ | $d.$ સ્વિસ ચીઝ |
$5.$ સ્યૂડોમોનાસ | $e.$ બાયોગેસ |
$6.$ એઝોસ્પાયરીલમ | $f.$ એસિટિક એસિડ |
$g.$ બ્યુટેરિક એસિડ |