ગ્લિસરીનના કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4}k^{-1} $ છે. ગ્લિસરીનનું તાપમાન $40^o C$ વધારવામાં આવે, તો તેની ઘનતામાં આંશિક ફેરફાર કેટલો થશે?
$0.01$
$0.015$
$0.02$
$0.025$
ગરમ કરવાથી સંકોચન થતું હોય તેવો પદાર્થ જણાવો.
એ દ્વિ-ધાત્વીય પટ્ટી $A$ અને $B$ એમ બે ધાતુઓની બનેલી છે. તેને દર્શાવ્યા મુજબ દઢતાથી જડેલ છે. ધાતુ $A$ નો પ્રસરણાંક ધાતુ $B$ નાં પ્રસરણાંક કરતા વધારે છે. જ્યારે દ્વિ-ધાત્વીય પટ્ટીને ઠંડા બાથ-ટબમાં મૂક્વામાં આવે છે, ત્યારે તે ...... .
એક વિધાર્થી એક સળિયાની પ્રારંભિક લંબાઈ $l$, તાપમાનનો ફેરફાર $\Delta T$ અને લંબાઈમાં ફેરફાર $\Delta l$ નીચે મુજબ નોંધે છે.
અ.નં. | $l(m)$ | $\Delta T{(^o}C)$ | $\Delta l(m)$ |
$(1)$ | $2$ | $10$ | $4\times 10^{-4}$ |
$(2)$ | $1$ | $10$ | $4\times 10^{-4}$ |
$(3)$ | $2$ | $20$ | $2\times 10^{-4}$ |
$(4)$ | $3$ | $10$ | $6\times 10^{-4}$ |
જો પ્રથમ અવલોકન સાચું હોય, તો $2,\,3$ અને $4$ અવલોકનો માટે તમે શું કહી શકો ?
રેખીય પ્રસરણ સમજાવો અને રેખીય-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.
$50 \,cm$ લંબાઈ અને $3.0\, mm$ વ્યાસવાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતાં સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે. સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ $40 \,^oC$ તાપમાને છે. જે તાપમાન $250 \,^oC$ કરવામાં આવે, તો આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે ? શું જંક્શન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે ? સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે. (પિત્તળ માટે રેખીય પ્રસરણાંક $= 2.0 \times 10^{-5}\, K^{-1}$, સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક $= 1.2 \times 10^{-5}\, K^{-1}$