સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે યજમાન પ્રતિજન (એન્ટીજન)ના સંપર્કમાં આવે છે, ત્યારે યજમાનના દેહમાં પ્રતિદ્રવ્ય (ઍન્ટીબોડી)નું સર્જન થાય છે. ઍન્ટીજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે. આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા (active immunity) કહે છે.

સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માંગી લે છે. પ્રતિરક્ષણ દરમિયાન ઇરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે.

જ્યારે શરીરમાં તૈયાર ઍન્ટીબોડી દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા (passive immunity) કહેવાય છે.

દુગ્ધસવણ (lactation)ના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સવતું પીળાશપડતું પ્રવાહી કોલોસ્ટ્રોમ (colostrum) માં ઍન્ટીબોડી $IgA$ વિપુલ માત્રામાં હોય છે. જે શિશુને રક્ષિત કરે છે. ગર્ભાવધિકાળ દરમિયાન ભૂણને પણ જરાય દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય છે જે નિષ્ક્રિય પ્રતિકારક્તાનાં કેટલાંક ઉદાહરણ છે.

Similar Questions

વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતા પ્રાથમિક પ્રતિચાર આપે છે. 

કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા દ્વિતીય પ્રતિચાર આપે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

યોગ્ય જોડી ગોઠવો.

Column  $I$

Column $II$

$A.$ ભૌતિક અંતરાય

$1.$ ઇન્ટરફેરોન

$B.$ દેહધાર્મીક અંતરાય

$2.$ લ્યુકોસાઈટ

$C.$ કોષીય અંતરાય

$3.$ આંસૂ

$D.$ કોષરસીય અંતરાય

$4.$ ત્વચા

 

     $A$    $B$    $C$    $D$

આપેલ આકૃતિ એન્ટિબોડી અણુની સંરચનાની છે. $A,\, B$, અને $C$ ને ઓળખી તેમના નામ જણાવો.

માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે.........

મૂત્રપિંડ પ્રત્યારોપણ સંબંધિત, ચાર વિધાનો નીચે આપેલ છે. 

સાચાં વાક્યો પસંદ કરો.

$i.$ મૂત્રપિંડ પ્રતિયારોપણ વખતે, ગ્રાહી વ્યકિતના પ્રતિકાર તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.

$ii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે  કોષીય પ્રતિકાર જવાબદાર છે.

$iii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે B-લસિકાકણો જવાબદાર છે.

$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન, મૂત્રપિંડ પ્રત્યારોપણની  સ્વીકૃતિ કે અસ્વીકૃતિ માટે જવાબદાર છે.