સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે યજમાન પ્રતિજન (એન્ટીજન)ના સંપર્કમાં આવે છે, ત્યારે યજમાનના દેહમાં પ્રતિદ્રવ્ય (ઍન્ટીબોડી)નું સર્જન થાય છે. ઍન્ટીજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે. આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા (active immunity) કહે છે.

સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માંગી લે છે. પ્રતિરક્ષણ દરમિયાન ઇરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે.

જ્યારે શરીરમાં તૈયાર ઍન્ટીબોડી દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા (passive immunity) કહેવાય છે.

દુગ્ધસવણ (lactation)ના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સવતું પીળાશપડતું પ્રવાહી કોલોસ્ટ્રોમ (colostrum) માં ઍન્ટીબોડી $IgA$ વિપુલ માત્રામાં હોય છે. જે શિશુને રક્ષિત કરે છે. ગર્ભાવધિકાળ દરમિયાન ભૂણને પણ જરાય દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય છે જે નિષ્ક્રિય પ્રતિકારક્તાનાં કેટલાંક ઉદાહરણ છે.

Similar Questions

રોગ પ્રતિકારકતાનાં કોષીય અંતરાયમાં ...... ને સમાવી શકાય નહી.

સ્તનપાનની ક્રિયાને પ્રતિકારકતાની બાબતમાં .........માં સમાવી શકાય?

પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો. 

ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.

  • [NEET 2022]

વિધાન $A$ : શરીર રોજ મોટી સંખ્યામાં રોગકારક ચેપી દ્રવ્યોના સંપર્કમાં આવતું હોવા છતાં થોડાક જ રોગોનો ભોગ બને છે. કારણ $R$ : શરીરમાં પ્રતિકારતંત્ર આવેલું છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?