વિદ્યુતભારના બે પ્રકારો કયા વૈજ્ઞાનિકે બતાવ્યા હતાં ?
જ્યારે પોલીથીનના એક ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે તો પોલીથીન પર $-2 -\times 10^{-7}\ C$ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. દળનો કેટલો જથ્થો પોલીથીન તરફ વહન પામતો હશે?
$(a)$ કોઈ માણસના સુકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે ? જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય ? (યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી.)
$(b)$ સામાન્ય રબર અવાહક છે. પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે જરૂરી છે ?
$(c)$ દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે ?
$(d)$ ખુલ્લી હાઈપાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે. શા માટે ?
ઘર્ષણ વિધુતમાં માત્ર ઇલેક્ટ્રૉન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર કઈ રીતે જાય છે ?
દ્રવ્ય પદાર્થો વિધુતભાર કેમ પ્રાપ્ત કરે છે ?