ગતિ વિશે એરિસ્ટોટલનો ખ્યાલ શું હતો ? તે કઈ રીતે ખોટો હતો ? એના ખ્યાલમાં શું ભૂલ હતી ?
ગ્રીક તત્વચિતંક એરિસ્ટોટલે વ્યવહારમાં થતાં અનુભવને આધારે એવો ખ્યાલ બાંધ્યો કે પદાર્થની નિયમિત ગતિ યથાવત્ ચાલુ રાખવા માટે કઈક બાહ્ય બળ જરૂરી છે. જેને એરિસ્ટોટલનો નિયમ કે છે. તેના મત મુજબ ધનુષ્યમાંથી છોડેલું તીર ઉડ્યા કરે છે કારણ કે તીરની પાછળની હવા તેને આગળ ધકેલે છે.
આ મત, વિશ્વમાં પદાર્થોની ગતિ અંગે, એરિસ્ટોટલની વિચાર પદ્ધતિનો એક ભાગ હતો જે ખોટો હોવાનું જણાંયું છે.
વિશ્વમાં ધન પદાર્થો માટે ધર્ષણ અને તરલ પદાથો માટે શ્યાનતા જેવાં ગતિનો વિરોધ કરનારા બળો હંમેશાં હાજર હોય છે તેથી પદાર્થોની નિયમિત ગતિ યાલુ રાખવા માટે અવરોધ બળોનો સામનો કરવા બાહ્ય પરિબળો વે બળ લગાડવાની જરૂર પડે છે.
આ પરથી એરિસ્ટેટલની ભૂલ એ હતી કે વ્યવહારિક અનુભવને કુદરતના મૂળભૂત નિયમ તરીકે ગ્રહી લીધો.
જો તંત્ર પર લાગતું પરિણામી (Net) બળ શૂન્ય હોય તો
આપેલ તંત્ર માટે $PQ$ દોરીમાં કેટલું તણાવબળ ઉત્પન્ન થશે?
$M$ દળના બ્લોકને $M / 2$ દળના દોરડા વડ સક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર ખેંચવામાં આવે છે. જો દોરડાના એક છેડા પર $2\,mg$ બળ લાગે તો, બ્લોક પર લાગતુ બળ $..........$
સ્પ્રિંગના મુક્ત છેડે પર લગાવેલા બ્લોક દ્વારા લાગતા પુનઃસ્થાપન બળને શેના દ્વારા રજૂ કરી શકાય?