ગતિ વિશે એરિસ્ટોટલનો ખ્યાલ શું હતો ? તે કઈ રીતે ખોટો હતો ? એના ખ્યાલમાં શું ભૂલ હતી ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ગ્રીક તત્વચિતંક એરિસ્ટોટલે વ્યવહારમાં થતાં અનુભવને આધારે એવો ખ્યાલ બાંધ્યો કે પદાર્થની નિયમિત ગતિ યથાવત્ ચાલુ રાખવા માટે કઈક બાહ્ય બળ જરૂરી છે. જેને એરિસ્ટોટલનો નિયમ કે છે. તેના મત મુજબ ધનુષ્યમાંથી છોડેલું તીર ઉડ્યા કરે છે કારણ કે તીરની પાછળની હવા તેને આગળ ધકેલે છે.

આ મત, વિશ્વમાં પદાર્થોની ગતિ અંગે, એરિસ્ટોટલની વિચાર પદ્ધતિનો એક ભાગ હતો જે ખોટો હોવાનું જણાંયું છે.

વિશ્વમાં ધન પદાર્થો માટે ધર્ષણ અને તરલ પદાથો માટે શ્યાનતા જેવાં ગતિનો વિરોધ કરનારા બળો હંમેશાં હાજર હોય છે તેથી પદાર્થોની નિયમિત ગતિ યાલુ રાખવા માટે અવરોધ બળોનો સામનો કરવા બાહ્ય પરિબળો વે બળ લગાડવાની જરૂર પડે છે.

આ પરથી એરિસ્ટેટલની ભૂલ એ હતી કે વ્યવહારિક અનુભવને કુદરતના મૂળભૂત નિયમ તરીકે ગ્રહી લીધો.

Similar Questions

સંપર્કબળ અને ક્ષેત્રબળ વચ્ચેની સમાનતા અને ભિન્નતાઓ લખો. 

બળ $\to $ સમયના આલેખ નીચેનું ક્ષેત્રફળ કઈ ભૌતિક રાશિ આપે છે ?

$1 \mathrm{~kg}$ દળને છત પરથી $4m$ લંબાઈના દોરડાથી લટકાવવામાં આવેલ છે. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર દોરડાના મધ્યબિંદુ આગળ સમક્ષિતિજ બળ $'F$ લગાડતા દોરડું શિરોલંબ અક્ષને સાપેક્ષ $45^{\circ}$ નો કોણ બનાવે છે. $F$નું મૂલ્ય ......... હશે. (એવું ધારોકે દળ સમતોલન સ્થિતિમાં છે અને $g=10 \mathrm{~m} / \mathrm{s}^2$ છે.)

  • [JEE MAIN 2024]

લીસા સમક્ષિતિજ ટેબલ પર $l$ લંબાઈની દોરીનો એક છેડો $m$ દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલ છે. જો કણ $v$ ઝડપથી વર્તુળમય ગતિ કરે, તો કણ પરનું ચોખ્ખું (પરિણામી) બળ (કેન્દ્ર તરફની દિશામાં) કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો :

$(i) \;T,$ $(ii)\; T-\frac{m v^{2}}{l},$ $(iii)\;T+\frac{m v^{2}}{l},$ $(iv) \;0$

$T$ દોરીમાંનું તણાવ છે.

 $\vec v$ જેટલા વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો લાગે છે.આ બળોના મૂલ્ય અને દિશાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણની પાસપાસેની બાજુઓ વડે દર્શાવી શકાય,તો આ કણ કેટલા વેગથી ગતિ કરતો હશે?

  • [AIEEE 2003]