ત્રુટિઓના સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય છે તે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધારો કે બે ભૌતિક રાશિઓ $A$ અને $B$ નાં માપેલા મૂલ્યો $A$ $\pm \Delta A$ અને $B$ $\pm \Delta B$ છે જ્યાં $\Delta A$ અને $\Delta B$ અનુક્રમે $A$ અને $B$ ની નિરપેક્ષ ત્રુટિ છે.

$(i)$ સરવાળા માટે : ધારો કે $A$ અને $B$ નો સરવાળો $Z$ છે.

$\therefore \mathrm{Z}=\mathrm{A}+\mathrm{B}$

ત્રુટિ માટે $\mathrm{Z} \pm \Delta \mathrm{Z}=(\mathrm{A} \pm \Delta \mathrm{A})+(\mathrm{B} \pm \Delta \mathrm{B})$

જ્યાં $\Delta \mathrm{Z}$ એ $Z$ ની નિરપેક્ષ ત્રુટિ છે.

$\therefore \mathrm{Z} \pm \Delta \mathrm{Z}=(\mathrm{A}+\mathrm{B}) \pm(\Delta \mathrm{A}+\Delta \mathrm{B})$

પણ  $A$+$B$$=$$z$ મૂકતાં,

$\pm \Delta Z=\pm(\Delta A+\Delta B)$

મહતમ નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓનો સરવાળો જ થાય.

$\therefore \mathrm{Z}$માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ $\Delta \mathrm{Z}=\Delta \mathrm{A}+\Delta \mathrm{B}$

(ii)બાદબાકી માટે ધારો કે $A$ અને $B$ નો તફાવત $Z$ છે.

$\therefore Z=A-B$ $[\because \mathrm{A}>\mathrm{B}$ નો તફાવત $Z$ છે.

ત્રુટિ માટે $\mathrm{Z} \pm \Delta \mathrm{Z}=(\mathrm{A} \pm \Delta \mathrm{A})-(\mathrm{B} \pm \Delta \mathrm{B})$

$=(\mathrm{A}-\mathrm{B})-(\pm \Delta \mathrm{A} \pm \Delta \mathrm{B})$

પણ $A$-$B$=$Z$મૂકતાં,

$\pm \Delta Z=\pm \Delta A \pm \Delta B$

પણ $Z$માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ $\Delta Z=\Delta A+\Delta B$

નિયમ : બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, દરેક ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય છે.

Similar Questions

ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળાવવા માટે સાદા લોલક ની મદદથી એક પ્રયોગ કરવામાં આવે છે. જેમાં $100$ દોલનો માટે લાગતો સમય $1\, second$ લઘુત્તમ માપ શક્તિ વાળી ઘડિયાળ વડે માપવામાં આવે છે અને મૂલ્ય $90.0\, seconds$ મળે છે. લંબાઈ $L$ એ $1\, mm$ ની લઘુત્તમ માપ શક્તિ ધરાવતી માપપટ્ટી દ્વારા માપવામાં આવે છે અને મૂલ્ય $20.0\, cm$ મળે છે. તો $g$ ના માપન માં રહેલી ત્રુટિ  ........... $\%$ હશે.

  • [JEE MAIN 2014]

ગાણિતિક સૂત્રમાં સંખ્યાબંધ રાશિઓની કિંમતોનો ઉપયોગ થાય છે. રાશિ જે માપનામાં સૌથી વધુ ચોક્કસ અને સચોટ હોવો જોઈએ તે આમાંથી કઈ છે?

ઓહમના નિયમના પ્રયોગમાં જુદાં જુદાં અવલોકનો દરમિયાન એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય  $4.12 \Omega , 4.08 \Omega , 4.22 \Omega $ અને $ 4.14 \Omega$  મળે છે. અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ અનુક્રમે ....... મળે.

પ્રતિશત ત્રુટીનો એકમ શું થાય?

વિધાન: જ્યારે દળ અને વેગના માપન માં મળતી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે $1\%$ અને $2\%$ હોય તો ગતિ ઉર્જામાં મળતી ટકાવાર ત્રુટિ $5\%$ હશે.

કારણ: $\frac{{\Delta E}}{E} = \frac{{\Delta m}}{m} + \frac{{2\Delta v}}{v}$

  • [AIIMS 2010]