સમાન વિધુતક્ષેત્રમાં અધુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો અને રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિકની વ્યાખ્યા લખો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં અધ્રુવીય અણુઓના ધન અને ઋણ વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે છે.
જ્યારે અણુંઓના ધટક વિદ્યુતભારો પરનું બાહ્ય બળ, પુન:સ્થાપક બળ (જે અણુની અંદરના આંતરિક ક્ષેત્રને લીધે લાગતાં) વડે સંતુલિત થાય છે ત્યારે સ્થાનાંતર અટકી જાય છે.
આમ, અધ્રુવીય અણુઓમાં પ્રેરિત ડાઈપોલ ચાકમાત્રા ઉદભવે છે જેને બાહ્ય ક્ષેત્ર વડે ડાઇઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થયો કહેવાય.
રેખીય સમદિગ્ધર્મી ડાઇઈલેક્ટ્રિક : "બાહ્ય ક્ષેત્રમાં મૂકેલાં અધ્રુવીય અણુંમાં જ્યારે પ્રેરિત ડાઈપોલ ચાકમાત્રા વિદ્યુતક્ષેત્રની દિશામાં હોય અને ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય તો તેને રેખીય સમદિગ્ધર્મી ડાઈઇલેક્ટ્રિક કહે છે."
બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જુદા જુદા અણુઓની ડાઈપોલ ચાકમાત્રાઓનો સરવાળો કરવાથી ડાઈઈલેક્ટ્રિકની ચોખ્ખી $(Net)$ ડાઈપોલ ચાકમાત્રા મળે છે.
$10 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા અને જેમની બે પ્લેટો હવામાં $10 \mathrm{~mm}$ અંતરે રહેલી હોય અને જેનું ક્ષેત્રફળ $4 \mathrm{~cm}^2$ હોય તેવા સંધારક (કેપેસીટર)માં અનુક્રમે $K_1=2$ અને $K_2=3$ ડાયઈલેકટ્રીક અચળાiક ધરાવતા બે ડાયઈલેકટ્રીક માધ્યમોને સમાન રીતે ભરવામાં આવે છે, આકૃતિ જુઓ. જો બે પ્લેટો વચ્ચેનું નવું બળ $8 \mathrm{~N}$ હોય તો ઉદગમ (supply) વોલ્ટેજ. . . . . . $\mathrm{V}$ હશે.
$r$ ત્રિજ્યા તથા $q$ વિદ્યુતભાર ધરાવતા મરક્યુરીના $64$ નાના ટીપા ભેગા થઇને એક મોટુ બુંદ બનાવે છે તો દરેક નાના ટીપાનો તથા મોટા બુંદની પૃષ્ટ વિદ્યુતભારનો ગુણોત્તર....
બે જુદા-જુદા ડાયઈલેક્ટ્રિક પદાર્થો અને જુદી-જુદી જડાઈ ( $t _1$ અને $\left.t _2\right)$ ના બનેલું એક સંયુક્ત સમાંતર પ્લેટ સંઘારક આકૃતિમાં દર્શાવેલ છે. બે જુદા-જુદા ડાયઈલેક્ટ્રિક પદાર્થોને એક સુવાહક પાતળા સ્તર $(foil)$ $F$ વડે છૂટા પાડેલા છે. સુવાહક $foil$ નો વોલ્ટેજ $............V$ હશે.
$20\, cm$ ની ત્રિજ્યાવાળા ડાઈ ઈલેકટ્રીક ગોળાના કેન્દ્રથી $20\, cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $100\ V/m$ છે. તો ગોળાના કેન્દ્રથી $3\, cm$ અંતરે $E$ કેટલા.......$V/m$ હશે?
બે હવા ભરેલા ભરેલા $C$ અને $nC$ કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને $V$ વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે.જ્યારે કેપેસીટર સંપૂર્ણ રીતે ચાર્જ થાય ત્યારે બેટરી દૂર કરીને પહેલા કેપેસીટરની પ્લેટ વચ્ચે $K$ ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.હવે આ તંત્રનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?