આપેલ રાશિની ગાણિતિક ગણતરીમાં અનિશ્ચિતતા અથવા ત્રુટિ નક્કી કરવાના નિયમો ઉદાહરણ દ્વારા સમજાવો.
$(1)$ એક પાતળી લંબચોરસ તક્તીની લંબાઈ $l=16.2 \mathrm{~cm}$ આને પહોળાઈ $b=10.1 \mathrm{~cm}$ છે. મીટરપટ્ટીનું લઘુતમ માપ $0.1 \mathrm{~cm}$ છે તેથી માપનમાં નિરપેક્ષ ત્રુટિ $0.1 \mathrm{~cm}$ હોય.
$\therefore$ લંબાઈ અને પહોળાઈ,
$l=(16.2 \pm 0.1) \mathrm{cm}$અને
$b=(10.1 \pm 0.1) \mathrm{cm}$ લખાય.
$\begin{aligned} \mathrm{A} =l b \\ =16.2 \times 10.1 \\ =163.62 \mathrm{~cm}^{2} \end{aligned}$
પ્રતિશત ત્રુટિ
$\frac{\Delta \mathrm{A}}{\mathrm{A}} \times 100 \%=\frac{\Delta l}{l} \times 100 \%+\frac{\Delta b}{b} \times 100 \%$
$\begin{aligned} \frac{\Delta \mathrm{A}}{163.62} \times 100 \% =\frac{0.1}{16.2} \times 100 \%+\frac{0.1}{10.1} \times 100 \% \\ =0.617 \%+0.99 \\ =0.6 \%+1.0 \% \\ \approx 1.6 \% \end{aligned}$
$\begin{aligned} \therefore \Delta \mathrm{A} =\frac{1.6 \times 163.32}{100} \\ =2.61792 \\ \approx 2.6 \end{aligned}$
$\therefore$ લંબચોરસ તકતીનું ક્ષેત્રફળ
$=A \pm D A$
$=163.62 \pm 2.6$
$\therefore$ સાર્થક અંકોની દ્રષ્ટિએ ક્ષેત્રફળ$=$ $\approx(164 \pm 3) \mathrm{cm}^{2}$
(2) જો કોઈ પ્રાયોગિક મૂલ્યોનો ગણ $n$-સાર્થક અંકો સુધી દર્શાવેલ હોય, તો આ મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ $n$-સાર્થક અંકો જ માન્ય છે.
તેમ છતાં જો પ્રાયોગિક મૂલ્યોની સંખ્યા ધટાડવામાં આવે, તો સાર્થક અંકોની સંખ્યા ધટાડી શકાય. ઉદાહરણ :
$12.9 \mathrm{~g}-7.06 \mathrm{~g}=5.84 \mathrm{~g}$
બંને સંખ્યામાં સાર્થક અંકો ત્રણ છે પણ સરવાળા-બાદબાકીની ક્રિયામાં સંખ્યાના સાર્થક અંકો નર્હી પણ દશાંશ ચિહ્ર્ન પછીના અંકો ધ્યાનમાં લેવામાં આવે છે તેથી આ બાદબાકી $5.8 \mathrm{~g}$ લખાય.
નીચેનાં વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :
$(a)$ કોઈ રાશિને એકમ હોઈ શકે તેમ છતાં પરિમાણરહિત હોય છે.
$(b)$ આઘાત અને ઊર્જા પ્રચલનના એકમ સમાન હોય.
$(c)$ માપન કરતાં સાધનની લઘુતમ માપશક્તિ જેટલી દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ હોય.
પદાર્થની અવરોધકતામાં સાપેક્ષ ત્રુટિ કેટલી થાય?
અવરોધ $= 1.05 \pm 0.01\, \Omega$
વ્યાસ $= 0.60 \pm 0.01\, mm$
લંબાઈ $= 75.3 \pm 0.1 \,cm$
બે અવરોધો ${R}_{1}=(4 \pm 0.8)\; \Omega$ અને ${R}_{2}=(4 \pm 0.4)\;\Omega$ ને સમાંતરમાં જોડેલ છે. સમાંતરનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
જો $A$ સળિયાની લંબાઈ $3.25 \pm 0.01 \,cm$ અને $B$ સળિયાની લંબાઈ $4.19 \pm 0.01\, cm $ હોય તો સળિયા $B$ ની લંબાઈ સળિયા $A$ કરતાં કેટલી વધારે હશે?
જો વર્તૂળના આવેલા વ્યાસમાં $ 4\% $ જેટલી ત્રુટિ છે, તો વર્તૂળની ત્રિજ્યામાં ત્રુટિ ........ $\%$ હશે .