એકલ વિધુતભારના લીધે બાહ્ય ક્ષેત્રમાં વિધુતઊર્જાનું સૂત્ર મેળવો.
બાહ્ય ક્ષેત્ર $\overrightarrow{ E }$ અને તેને અનુરૂપ બાહ્ય સ્થિતિમાન $V$ એ બિંદુએ બિંદુએ બદલાઈ શકે છે.
વિદ્યુતસ્થિતિમાનની વ્યાખ્યા મુજબ, વિદ્યુતસ્થિતિમાન એ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી $P$ બિંદુએ લાવવા કરવું
પડતું કાર્ય છે. (અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય ધારેલું છે.)
આમ, વિદ્યુતભાર $q$ ને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાંના $P$ બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય $W =q V$.
આ કાર્ય $q$ ની સ્થિતિઊર્જા રૂપે સંગ્રહ પામે છે.
$\therefore U =q V$ પાસે વિદ્યુતસ્થિતિઊર્જા,
જો કોઈ ઉગમબિંદુની સાપેક્ષે $P$ નો સ્થાનસદિશ $\vec{r}$ હોય, તો વિદ્યુતભાર $q$ ને બાહ્ય ક્ષેત્રમાં $\vec{r}$ સ્થાનસદિશ ધરાવતાં બિંદુ પાસે વિદ્યુતસ્થિતિઊર્જા,
$U (\vec{r})=q V (\vec{r})$
એટલે કે,
બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિઊર્જા = વિદ્યુતભાર $\times$ બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુતસ્થિતિમાન
નિયમિત વિદ્યુતક્ષેત્ર $\vec E, \,X-$ દિશામાંં છે. $0.2\;C$ વિદ્યુતભારને $x-$દિશા સાથે $60^\circ $ના ખૂણે $2 \,m$ જેટલું સ્થાનાંતર કરાવવા માટે $4\;J$ કાર્ય કરવું પડે છે, તો વિદ્યુતક્ષેત્ર $E$ કેટલા.......$N/C$ થાય?
$0.01\ C$ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી મળતા વિદ્યુતક્ષેત્રની વિરૂદ્ધ દિશામાં લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય $15\ g$ મળે છે. તો ($V_B$ - $V_A$)સ્થિતિમાનનો તફાવત .......$ volt$ છે.
$m$ દળ અને $-q_1$ વિદ્યુતભાર ધરાવતો કણ $+q_2$ નાં કેન્દ્રથી $r$ અંતરે વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. તો $-q_1$ નો આવર્તકાળ
બે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અંતર $ 2L$ છે.આ બિંદુઓ પર અનુક્રમે $+q$ અને $ -q$ વિદ્યુતભાર મૂકેલા છે.બિંદુ $C $ એ બિંદુ $ A $ અને બિંદુ $B$ ના મઘ્યબિંદુએ છે. $+Q $ વિદ્યુતભારને અર્ધ-વર્તુળાકાર માર્ગ $ CRD$ એ ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય __________
આકૃતિ માં દર્શાવ્યા મુજબ $d$ બાજુવાળા ચોરસ $ABCD$ ના શિરોબિંદુઓ પર ચાર વિદ્યુતભારો ગોઠવેલ છે. $(a)$ આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. $(b)$ ચાર વિદ્યુતભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર $q_0$ ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે ?