રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના $12:00$ નો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે : 

  ઘડિયાળ $1$ ઘડિયાળ $2$
સોમવાર $12:00:05$ $10:15:06$
મંગળવાર $12:01:15$ $10:14:59$
બુધવાર  $11:59:08$ $10:15:18$
ગુરુવાર $12:01:50$ $10:15:07$
શુક્રવાર $11:59:15$ $10:14:53$
શનિવાર $12:01:30$  $10:15:24$
રવિવાર $12:01:19$ $10:15:11$

જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યાં હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો ? શા માટે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સાત દિવસની ઘડિયાળ- $1$ નાં અવલોકનના ફેરફારનો વિસ્તાર $162 \,s$ છે અને ઘડિયાળ- $2$ માં આ વિસ્તાર $31 \,s$ નો છે. ઘડિયાળ- $1$ દ્વારા લીધેલો સરેરાશ સમય, ઘડિયાળ- $2$ દ્વારા લીધેલા સરેરાશ સમયની સાપેક્ષમાં પ્રમાણભૂત સમયની વધુ નજીક છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ઘડિયાળની શૂન્ય ત્રુટિ ચોકસાઈપૂર્ણ કાર્ય માટે એટલી મહત્ત્વપૂર્ણ નથી જેટલું મહત્ત્વ તેના સમયમાં થતા ફેરફારનું છે. કારણ કે શૂન્ય ત્રુટિને સરળતાથી દૂર કરી શકાય છે. અહીં ઘડિયાળ- $1$ ની તુલનામાં ઘડિયાળ- $2$ ને પસંદ કરી શકાય.

Similar Questions

એક ભૌતિક રાશિ $z$ બીજા ચાર આવકલોકન $a,b,c$ અને $d$ પર $z =\frac{ a ^{2} b ^{\frac{2}{3}}}{\sqrt{ c } d ^{3}}$ મુજબ આધાર રાખે છે. $a, b, c$ અને $d$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \%, 1.5 \%, 4 \%$ અને $2.5 \%$ છે. $z$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?

  • [JEE MAIN 2020]

નળાકારની લંબાઈ વર્નિયર કેલિપર્સથી માપવામાં આવી છે તેના અવલોકનો નીચે મુજબ છે. તો ચોથા અને આઠમા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ અનુક્રમે...મળે.

$3.29 \,cm, 3.28\, cm, 3.29 \,cm, 3.31 \,cm,$ $ 3.28\, cm, 3.27 \,cm, 3.29 \,cm, 3.30\, cm$

ગોળાની ત્રિજયા $(5.3 \pm 0.1) \,cm$ હોય,તો કદમાં પ્રતિશત ત્રુટિ કેટલી થશે?

$R _1=(10 \pm 0.5) \Omega$ અને $R _2=(15 \pm 0.5) \Omega$ મૂલ્યનો બે અવરોધો આપેલા છે. જયારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેના પરિણામી અવરોધના માપનમાં થતી ટકાવારી ત્રુટી છે.

  • [JEE MAIN 2023]

સાદા લોલકનો આવર્તકાળ $ T = 2\pi \sqrt {\frac{l}{g}} $ હોય, જયાં $l=100\, cm$ અને તેમાં ખામી $1\,mm$ છે.આવર્તકાળ $2 \,sec$ છે.$100$ દોલનો માટેનો સમય $0.1 \,s$ લઘુતમ માપશકિત ધરાવતી ઘડિયાળ વડે માપવામાં આવે છે.તો ગુરુત્વપ્રવેગ $g$ માં પ્રતિશત ખામી ...... $\%$ થશે.