લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

લોખંડની વસ્તુઓ પર રંગ લગાડવાથી તેમને ક્ષારણ (કાટ લાગવાથી) અટકાવી શકાય છે.

કારણ કે રંગ લગાડવાથી તે હવામાંનો ઑક્સિજન તથા ભેજમાંના પાણી સાથે લોખંડની સપાટીનો સંપર્ક થવા દેતી નથી પરિણામે તેને કાટ લાગવાથી (ક્ષારણ)થી બચાવી શકાય છે.

Similar Questions

નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :

$(i)$ હાઇડ્રોજન $+$ ક્લોરિન $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ

$(ii)$ બેરિયમ ક્લોરાઇડ $+$ ઍલ્યુમિનિયમ સલ્ફેટ $\to $ બેરિયમ સલ્ફેટ $+$ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ

$(iii)$ સોડિયમ $+$ પાણી $\to $ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ હાઇડ્રોજન

એક ચળકતા કથ્થાઈ રંગના તત્ત્વ $'X'$ ને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તત્ત્વ $'X'$ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. 

તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો ? ઉદાહરણો આપી સમજાવો.

આકૃતિમાં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતાં બમણો શા માટે છે ? આ વાયુનું નામ દર્શાવો.

નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઑક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો.

$(i)$ $4 Na ( s )+ O _{2}( g ) \rightarrow 2 Na _{2} O ( s )$

$(ii)$ $CuO ( s )+ H _{2}( g ) \rightarrow Cu ( s )+ H _{2} O ( l )$