સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત (શીર્ષથી પુચ્છ રીત) સમજાવો.
આકૃતિમાં દર્શાવેલા બે સદિશો $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ નો સદિશ સરવાળો ત્રિકોણની રીતે કરવો છે.
આ સદિશોની લંબાઈ સદિશોના માનના સમપ્રમાણમાં છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ નિશ્ચિત બિંદુ $O$ પસંદ કરો.
હવે $\overrightarrow{ A }$ ને એવી રીતે દર્શાવો કે જેથી તેની લંબાઈ, દિશા ન બદલાય અને તેનું પુચ્છ $O$ પર આવે.
$\overrightarrow{ B }$ ને એવી રીતે દર્શાવો કે જેથી તેની લંબાઈ, દિશા ન બદલાય અને તેનું પુચ્છ $\vec{\textrm{A}}$ ના શીર્ષ પર આવે.
$\vec{A}$ ના પુચ્છ $O$ અને $\vec{B}$ ના શીર્ષને જોડતો સદિશ $\overrightarrow{O Q}$ દોરો કે $\vec{A}$ અને $\vec{B}$ નો સદિશ સરવાળો છે.
$\overrightarrow{ OQ }=\overrightarrow{ R }=\overrightarrow{ A }+\overrightarrow{ B }$
આ પદ્ધતિમાં એક સદિશના શીર્ષ પર બીજા સદિશનું પુચ્છ ગોઠવાતું હોવાથી આ રીતને શીર્ષથી પુચ્છની રીત પણ કહે છે. સદિશોના સરવાળાની આ રીતમાં બે સદિશો અને તેમનો પરિણામી સદિશ દ્વારા ત્રિકોણની ત્રણ બાજુઓની રચના થતી હોવાથી તેને સદિશ સરવાળની ત્રિકોણની રીત પણ કહે છે.
સદિશ સરવાળાના બે ગુણધર્મો નીચે મુજબ છે :
$(1)$ સદિશોનો સરવાળો સમક્રમી છે.
$(2)$ સદિશોનો સરવાળો જૂથના નિયમને અનુસરે છે.
બે બળો જેના માપન મુલ્યો $8 \,N$ અને $15 \,N$ છે તે અનુક્રમે એક બિંદુ પર લાગુ પડે છે, જો લાગુ પડતું પરિણામી બળ $17 \,N$ હોય, તો આ બળો વચ્ચે બનતો ખૂણો કેટલો હશે?
બે એકમ સદિશનો સરવાળો,એકમ સદિશ હોય, તો તેના બાદબાકી સદિશનું મૂલ્ય શોઘો.
જો વર્તુળની ત્રિજયા $R$ હોય તો સદિશો $ \overrightarrow {OA} ,\,\overrightarrow {OB} $ અને $ \overrightarrow {OC} $ નો પરિણામી સદિશ કેટલો થશે?
સદિશ $\mathop A\limits^ \to $ અને $\mathop B\limits^ \to $ અક્ષની સાપેક્ષે અનુક્રમે $20^°$ અને $110^°$ ખૂણો બનાવે છે. આ સદિશોનું મૂલ્ય અનુક્રમે $5\, m$ અને $12 \,m$ છે. આ સદિશોને પરિણામી સદિશનું મૂલ્ય.......$m$
અનુક્રમે $2F$ અને $3F$ માનના બે બળો $P$ અને $Q$ એકબીજા સાથે $\theta $ કોણ બનાવે છે. જો બળ $Q$ ને બમણો કરીયે, તો તેમનું પરિણામ પણ બમણું થાય છે. તો આ ખૂણો $\theta $ કેટલો હશે?