$0.004 \,M$ હાઇડ્રેઝીન દ્રાવણની $pH$ $9.7$ છે. તેનો આયનીકરણ અચળાંક $K_{ b }$ અને $pK _{ b }$ ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$NH _{2} NH _{2}+ H _{2} O \rightleftharpoons NH _{2} NH _{3}^{+}+ OH ^{-}$

$pH$ પરથી આપણે હાઇડ્રોજન આયન સાંદ્રતા ગણી શકીએ. હાઇડ્રોજન આયનની સાંદ્રતા જાણીને અને પાણીના આયનીય ગુણાકારનો ઉપયોગ કરી હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા ગણી શકીએ.

$\left.| H ^{+}\right]=$ antilog $(- pH )$

$=$ antilog $(-9.7)=1.67 \times 10^{-10}$

$\left[ OH ^{-}\right]=K_{ w } /\left[ H ^{+}\right] =1 \times 10^{-14} / 1.67 \times 10^{-10} $

$=5.98 \times 10^{-5}$

તેને અનુરૂપ હાઇડ્રોઝીનિયમ આયનની સાંદ્રતા હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા જેટલી થશે. આ બન્ને આયનોની સાંદ્રતા ઘણી ઓછી હોઈ અવિયોજિત બેઇઝની સાંદ્રતા બરાબર $0.004$ માં લઈ શકાય. આમ,

$K_{ b }=\left[ NH _{2} NH _{3}^{+}\right]\left[ OH ^{\top}\right] /\left[ NH _{2} NH _{2}\right]$

$=\left(5.98 \times 10^{-5}\right)^{2} / 0.004=8.96 \times 10^{-7}$

$p K_{ b }=-\log K_{ b }=-\log \left(8.96 \times 10^{-7}\right)=6.04$

Similar Questions

નિર્બળ બેઇઝના આયનીકરણ અચળાંક ${K_b}$ અને આ બેઇઝના સંયુગ્મ એસિડના આયનીકરણ અચળાંક ${K_a}$ વચ્ચેના સંબંધનું સૂત્ર તારવો.

$0.1$ $M$ એકબેઝિક ઍસિડની $pH$ $4.50$ છે. સ્પીસિઝ $H ^{+},$ $A^{-}$ અને $HA$ ની સંતુલને સાંદ્રતા ગણો. વળી, એ બેઝિક ઍસિડનો $K_{a}$ અને $pK _{a}$ ના મૂલ્યો નક્કી કરો. 

જો $25°$ સે. એ ફ્લોરાઈડ આયનની $pK_b\, 10$, હોય તો તેજ તાપમાને પાણીમાં હાઇડ્રોક્લોરીક એસિડનો આયનીક અચળાંક = .......?

જો ઍસિટિક ઍસિડના $p K_{ a }$ નું મૂલ્ય $4.74$ હોય તો $0.05$ $M$ ઍસિટિક ઍસિડનો આયનીકરણ અંશ ગણો. જો તેનું દ્રાવણ $(a)$ $0.01$ $M$ $HCl$ અને $(b)$ $0.1$ $M$ $HCl$ ધરાવતું હોય તો તેનો વિયોજન અંશ કઈ રીતે અસર પામશે ?

$0.1 \,N \,CH_3COOH$ નો વિયોજન ક્રમ (વિયોજન અચળાંક $= 1 \times 10^{-5}$)